શ્રી મહાવીરસ્વામીની ભૂમિમાંથી વહી રહેલી વાત્સલ્યમયી માતાની વિશ્વવ્યાપી કરૂણા

એ કેવી વ્યથાભરી વિડંબના કહેવાય કે જે રાજગૃહી નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં ભગવાન મહાવીરે 14 વખત ચાતુર્માસ ગાળ્યાં હતાં અને એ રાજગૃહી નગરીની વૈભારગિરિની તળેટીમાં રચાયેલા સમવસરણમાં ભગવાન મહાવીરની માલકોશ રાગમાં સર્વ કલ્યાણકારી ઉપદેશધારા વહી હતી, એ પ્રદેશમાં વર્તમાન સમયે ચોતરફ પ્રાણીઓનો નિર્દયતાથી શિકાર થતો હતો. કારમી ગરીબી અને ભૂખમરાથી લોકો બેહાલ હતા. અધૂરામાં પૂરું... Continue Reading →

ભગવાન મહાવીરની ભૂમિની ભયાવહ અવદશા કેમ ?

‘વીરાયતન’ સંસ્થા અને આચાર્યા ચંદનાજી માનવસર્જિત કે કુદરતી આપત્તિથી ઘેરાઈ ગયેલા માનવીની આંખનાં આંસુ લૂછવાનું કામ ભીતરની કરુણા કરે છે. તો અંધકારને ઓગાળી નાખીને શિક્ષણનો મહાપુરુષાર્થ કરવાનું કામ જ્ઞાનનો પ્રકાશ આપીને કરે છે. સામાન્ય રીતે માનવતા કાજે વિકટ અને કપરા સમયમાં દુઃખી લોકોને સહાય કરવા માટે સહુ કોઈ દોડી જાય છે, પરંતુ કરુણા અને જ્ઞાન... Continue Reading →

જો પરિવર્તન નહીં, તો પીછે હઠ સ્વીકારો !

આપણે ત્યાં એક જ ધર્મનાં સંપ્રદાયો વચ્ચે ચીનની દીવાલ ચણાયેલી હોય છે, ત્યારે એક ધર્મ બીજા ધર્મ સાથે કઈ રીતે મેળાપ સાધી શકે ? આજે વિશ્વમાં ધર્મો સમરાંગણમાં યુદ્ધ ખેલવાને બદલે પરસ્પર સંવાદની ભૂમિકા રચે છે અને આથી જ આજના ધર્મવિષયક આંતરરાષ્ટ્રીય અધિવેશનોમાં પહેલી શરત એ હોય છે કે, “તમારે એવું નહીં કહેવાનું કે તમારો... Continue Reading →

ભારતે વાત કરી ‘યુનિવર્સલ રિલિજિયન’ અને ‘યુનિવર્સલમૅન’ની !

આજના ધર્મોનો વ્યાપક વિચાર જરૂરી છે. તાજેતરમાં ‘કોવિડ, પેન્ડેમિક ઍન્ડ વર્લ્ડ્ઝ રિલિજિયન્સ' પુસ્તકમાં જુદા જુદા ધર્મનાં લેખો પ્રકાશિત થયા. જેમાં એ સમયે કોવિડની મહામારીમાં ધર્મોની શી સ્થિતિ થઈ ? ધર્મોની ઉપાસના કઈ રીતે થઈ અને એ ધર્મએ માનવજાતને કઈ રીતે મદદ કરી ? અથવા તો એ ધર્મ એની પરંપરાને કારણે કેવી ભૂલ કરી બેઠો એની... Continue Reading →

ધર્મોનો પોકાર : લાવો પરિવર્તન અને આપો નવી દૃષ્ટિ

વિખ્યાત રશિયન લેખક મેક્સિમ ગૉર્કી રશિયાનાં ગામડાંઓમાં જઈને વિજ્ઞાન અંગે અભિયાન ચલાવતા હતા. વિજ્ઞાનની આશ્ચર્યજનક સિદ્ધિઓથી ગ્રામજનોને અવગત કરાવવા ચાહતા હતા. એક વાર એક ગ્રામસભામાં મેક્સિમ ગૉર્કીએ કહ્યું, “થોડા સમયમાં વૈજ્ઞાનિક સંશોધનને પરિણામે માનવી આકાશમાં ઊડશે અને છેક પાતાળ લગી આસાનીથી પહોંચી શકશે. દરિયાના પેટાળની અંદર શું ચાલે છે એની રજેરજ માહિતી માનવી મેળવી શકશે.... Continue Reading →

એ સમયે વાલીપણાના મુખત્યારનામા કે કોર્ટ ફી અને કાગળોનાં કારસ્તાન નહોતાં !

રાજનગર અમદાવાદના માનવરોના ઝળહળાટને જોવા જેવો છે. આ જ રાજનગરમાં સો-દોઢસો વર્ષ પૂર્વે થયેલા શ્રેષ્ઠીઓનાં જીવનને જોઈએ તો કોઈ પણ પ્રજાને એનો ગર્વ થાય. ધર્મમાં ઊંડી શ્રદ્ધા અને કર્મથી અવિરત મહેનત દ્વારા એમણે આ અમદાવાદ નગરીમાં ઉમદા માનવીઓનો આદર્શ રચ્યો હતો. એવા આદર્શોની કથા ભાવનગરની જૈન ઑફિસે પ્રગટ કરેલા 'રાજનગરનાં રાજરત્નો’માં મળે છે અને એનું... Continue Reading →

દેશનાથી જાગી દીક્ષાની ભાવના

‘ભગવતીસૂત્ર’ અને ‘આવશ્યકચૂર્ણિ’ જેવા શાસ્ત્રગ્રંથો તેમજ અન્ય કવિઓની રચનામાં આ ચરિત્ર મનોહર રીતે શબ્દબદ્ધ થયું છે. વૈશાલીના ગણરાજા ચેટકની પુત્રી અને કૌશાંબીના રાજા શતાનીકની રાણી મૃગાવતી રાજકુમાર વર્ધમાનના પરિવાર સાથે પારિવારિક સંબંધ ધરાવતી હતી. સૌંદર્યવતી મૃગાવતીને પામવા માટે સ્ત્રીલોલુપ રાજા ચંડપ્રદ્યોત ચડાઈ લઈને આવ્યો. રાજા શતાનીકનું મૃત્યુ થયું હોવાથી રાણી મૃગાવતી રાજકારભાર સંભાળતી હતી. એ... Continue Reading →

માતાનું વહાલ અને દાસત્વમાંથી મુક્તિ

જૈન ધર્મનો ઇતિહાસ અનેક સાધ્વીજી મહારાજની આત્માની આરાધનાથી ઊજળો છે, પણ આપણે એ સાધ્વીજીની જીવનકથાથી અજ્ઞાત હોવાને કારણે એ મહાન સાધ્વીઓનાં ચરિત્રોને ભાગ્યે જ સમાજ જાણે છે, ત્યારે આજે ભગવાન મહાવીરના સમયની બે સાધ્વીઓ – જેમાં એક છે એમનાં માતા એવાં દેવાનંદા અને બીજાં છે ભગવાન મહાવીરનાં પ્રથમ શિષ્યા અને શ્રમણી સંઘનાં પ્રવર્તિની સાધ્વી ચંદનબાળા.... Continue Reading →

માતા : એક જન્મ આપનારી અને બીજી ધર્મ આપનારી !

કારતક સુદી પૂર્ણિમા એટલે દેવદિવાળી આવી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને એ મહાન પુત્રને જન્મ આપનારી મહાન માતા સાધ્વી પાહિણીનું સ્મરણ થાય. જૈન ઇતિહાસમાં પાહિણીએ શાસનને પોતાનો પુત્ર આપ્યો તો યાકિની મહત્તરાએ વિદ્વાન હરિભદ્રસૂરિને માતાની માફક માર્ગદર્શન આપ્યું. જેથી 1,444 ગ્રંથોની રચના કરનાર આચાર્ય હરિભદ્રસૂરિ પોતાને યાકિની મહત્તરાના પુત્ર તરીકે ઓળખાવે... Continue Reading →

અમેરિકાની ધરતી પર વિરલ તપસાધના કરનારી પ્રથમ શ્રાવિકા

જૈન ધર્મમાં તપશ્ચર્યાનું આગવું મહત્ત્વ છે. ભગવાન મહાવીરસ્વામીએ એમના સાડાબાર વર્ષના સાધનાકાળમાં મુખ્યત્વે ઊભા ઊભા કાયોત્સર્ગ મુદ્રામાં 4,166 દિવસ ઉપવાસ કર્યા હતા. તપની આરાધના દ્વારા કર્મક્ષય થાય છે અને એટલે જ મોક્ષમાર્ગમાં તપની આરાધનાને સર્વોપરી ગણવામાં આવે છે. કરોડો ભવનાં સંચિત કર્મ તપશ્ચર્યાથી નષ્ટ થાય છે, એનાથી આત્માની શુદ્ધિ થાય છે અને ઇચ્છાનિરોધથી મોક્ષની પ્રાપ્તિ... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑