ૐની નાદસાધના એટલે પરમપદની પ્રાપ્તિનો રાજમાર્ગ !

આપણી આ સત્સંગસભામાં ઉપનિષદ્નાં દ્રષ્ટા ઋષિઓએ આપેલા આત્મજ્ઞાનની ઓળખ પામવાનો આપણે સહુ પ્રયાસ કરીએ છીએ, ત્યારે એક પ્રશ્ન એ આવે કે જીવનમાં આવતા સુખ અને દુઃખ એને વિશે આપણા મહાન ઋષિઓએ કેવું દર્શન આપ્યું છે ? હકીકત એ છે કે ‘શ્વેતાશ્વરોપનિષદ્'નાં છઠ્ઠા અધ્યાયના વીસમા મંત્રમાં દુ:ખના નાશનો અમોઘ ઉપાય દર્શાવ્યો છે. માનવીના જીવનમાં સુખ અને... Continue Reading →

ઉપનિષદ્ પાસેથી પામીએ મૃત્યુંજય વિધા !

આજે આપણી સત્સંગ સભામાં પધારે છે ઉપનિષદૂના દ્રષ્ટા એવા મહાન ઋષિઓ. ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે આત્મજ્ઞાન અને એથી જ આપણા મહાન ઉપનિષદો મને(કુમારપાળ દેસાઈ) અને સહુને કહે છે કે, ‘માનવી પાસે એક આત્મા છે અને આત્મજ્ઞાનથી જ મનુષ્ય સર્વજ્ઞ થાય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી એણે કંઈ કરવાનું રહેતું નથી.' આથી વ્યક્તિ એક જ આત્માને... Continue Reading →

આત્મસુખનું અજ્ઞાન એ જ છે સર્વ દુઃખોનું મૂળ કારણ !

અધ્યાત્મની ગહનતાને ઉજાગર કરે છે શ્રી અષ્ટાવક્રગીતા. શ્રી અષ્ટાવક્ર મુનિનાં ગ્રંથોમાંથી આત્મજ્ઞાન-પ્રાપ્તિનો ઉત્તમ માર્ગ પ્રાપ્ત થાય છે. જેમ કઠોપનિષદથી આત્મજ્ઞાનનું અજવાળું પથરાય છે, એવું જ એક અજવાળું શ્રી અષ્ટાવક્રગીતા સમયે અનુભવાય છે અને અહીં આપણે યોજેલી અનોખી સત્સંગ સભામાં શ્રી અષ્ટાવક્ર મુનિના વિચારો માનવજીવનને કઈ રીતે ઉપકારક છે અને કેવા આત્મજ્ઞાન પ્રકાશક છે એ જોઈ... Continue Reading →

બ્રહ્મજ્ઞાન તો તમારા ભીતરમાં વસે છે !

આજની આપણી અનોખી સત્સંગ સભામાં પધાર્યા છે શ્રી અષ્ટાવક્ર મુનિ. આ એક નૂતન પ્રકારની સત્સંગ સભા છે. કોઈ મહાત્મા, સંત, સાધુ કે કોઈ ઉપદેશક ધાર્મિક પ્રવચન આપે, ત્યારે સત્સંગનું સર્જન થાય છે, પણ અહીં આપણે એક વિશિષ્ટ પ્રકારના સત્સંગનો પ્રારંભ કર્યો છે. જેમાં આપણા દેશના મહાન ઋષિઓ, મુનિઓ, યોગી, સંત કે મુમુક્ષુએ આપેલા ભૌતિક જીવન... Continue Reading →

ભૂલા પડેલા યાત્રાળુઓને ઘોડેસવાર સહાય કરે છે !

શ્રી શંખેશ્વર તીર્થના સંદર્ભમાં આપોઆપ ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી મહારાજસાહેબનું સ્મરણ થાય. એમના જીવનમાં ધર્મશક્તિનું પ્રાગટ્ય જોવા મળે છે. સ્થૂળ દૃષ્ટિ એને ચમત્કાર તરીકે ખપાવતી હોય છે. શ્રી ઉદયરત્નજી મહારાજની પ્રભાવક શક્તિ વિશે ઘણી કથાઓ અને કિંવદંતીઓ મળે છે. આશરે વિ. સં. ૧૭૫૮માં એમની પ્રેરણાથી ખેડાથી શ્રી શંખેશ્વર તીર્થનો છ'રી પાલિત સંઘ નીકળ્યો હતો. એ સમયે... Continue Reading →

ચાલો, હવે મૂળમાં ઘા કરીએ !

પરમનો સ્પર્શ પામવા ઇચ્છતા સાધકના ચિત્તમાં હવે પ્રશ્ન જાગે કે પહેલાં સિદ્ધિનું લક્ષ રાખવું અને પછી સાધના કરવી કે પહેલાં સાધના કરવી અને જે કંઈ મળે તે સ્વીકારવું ? પહેલાં પ્રાર્થના અને પછી પ્રાપ્તિ કે પહેલાં પ્રાપ્તિનું આયોજન અને પછી એ સિદ્ધ ક૨વા માટેની પ્રાર્થના ? સાધના હોય કે પ્રાર્થના, પરંતુ એનું પહેલું પગથિયું એ... Continue Reading →

જે વેદાભ્યાસથી પામ્યો નહીં, તે બાણશય્યાની પીડાએ સમજાવ્યું !

દુઃખનાં રોદણાં રડતો માનવી જેને પરમ સુખ માને છે, તે વિશે કોઈ ગંભીર વિચાર કરે છે ખરો ? ક્ષણભંગુર બાબતને પરમ શાશ્વત સુખ માનીએ છીએ અને પછી એ ચાલ્યું જતાં પારાવાર દુઃખ અનુભવીએ છીએ, તે કેવું ? યુવાની સદાકાળ રહેવાની છે એમ માનીએ છીએ અને કુદરતના ક્રમ પ્રમાણે પછી વૃદ્ધત્વ આવે અને માણસ એનાં દુઃખ-દર્દની... Continue Reading →

દુઃખ ભલે અપ્રિય હોય, પણ ઉદ્ધારક છે !

સુખનો ચહેરો બહાર છે અને દુઃખનો ચહેરો ભીતર છે. માણસ પોતાના સુખને કેવી મોહભરી ચકળવકળ આંખે જોતો હોય છે અને દુઃખ પ્રત્યે કેવો સાવ આંખો મીંચી દે છે ! ઊગતા સૂરજ તરફ પ્રત્યેક માનવી ઉષ્માપૂર્ણ દૃષ્ટિપાત્ કરતો હોય છે, જ્યારે ડૂબતા સૂરજ પર એ અલપઝલપ નજર નાખીને મુખ ફેરવી લેતો હોય છે. કારણ કે વ્યક્તિને... Continue Reading →

પાપા, ઓડેન, આમિદા, ન્યુમ, જેડ એમ્પરર ! ઓળખો છો આ દેવોના દેવને ?

દેવોના દેવ છે મહાદેવ.' તેઓ રુદ્ર રૂપે સૃષ્ટિસંહારનું મૂર્તિમંત સ્વરૂપ મનાય છે. હિંદુ ધર્મની ત્રિદેવની કલ્પનામાં બ્રહ્માને સૃષ્ટિના સર્જક, વિષ્ણુને સૃષ્ટિના પાલક અને શિવ કે રુદ્રને સૃષ્ટિના સંહારક માનવામાં આવ્યા છે. જોકે શૈવ સંપ્રદાય અનુસાર શિવ પરમ તત્ત્વ છે અને એમનાં કાર્યોમાં સંહાર ઉપરાંત સૃષ્ટિ અને સ્થિતિ(પાલન)નાં કાર્યોનો પણ સમાવેશ થાય છે. આમાં બ્રહ્માને સૃષ્ટિસર્જનનું... Continue Reading →

સુખની અપેક્ષા જેટલી વધુ, એટલું વધુ દુઃખ !

જરા તમારા જીવનમાં આવતાં દુઃખોની ગહેરી ચિકિત્સા કરો, તો ખ્યાલ આવશે કે એનું એક કારણ સચ્ચાઈથી ભાગવાની વૃત્તિ છે. કેટલાક માનવીમાં શાહમૃગીય વૃત્તિ જોવા મળે છે. શાહમૃગ દુશ્મનને સામે આવતો જોઈને રેતીમાં માથું ખૂંપાવી દે છે અને માને છે કે દુશ્મન તો ક્યાંય નજરે પડતો નથી જ્યારે એનો દુશ્મન રેતીમાં માથું ખૂંપાવીને ઊભેલા શાહમૃગને આસાનીથી... Continue Reading →

શરીર માત્ર માગણી કરે છે, જ્યારે મન ભવિષ્યની આકાંક્ષા જગાડે છે !

ક્યારેય તમે તમારા શરીર અને મનનો સંવાદ સાંભળ્યો છે ખરો ? એને વિશે કશુંય વિચાર્યું છે ખરું ? સિતાર અને તબલાની આ અનોખી સંગતને માણી છે ખરી ? શરીર કહે છે કે, ‘મારે ભોજનની જરૂ૨ છે.’ અને ત્યાં તત્કાળ મન બોલી ઊઠે છે કે, ‘ગમે તેટલો ડાયાબિટીસ હોય પણ આજે તો ભોજનમાં દૂધપાક હોવો જોઈએ.’... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑