સત્પ્રવૃત્તિ પરથી આયુષ્યનું માપ નીકળે છે !

બદલી થતાં એ વ્યક્તિ બીજા ગામમાં વસવા આવ્યો. ગામલોકોએ આગંતુકનો ભાવભર્યો સત્કાર કર્યો. ગામમાં સ્નેહ અને ભાઈચારાનું વાતાવરણ જોઈને આ વ્યક્તિને ખૂબ ગમી ગયું. આવું સંતોના આશીર્વાદ અને સત્સંગથી સમૃદ્ધ એવું ગામ મળ્યું, તે માટે એ ઈશ્વરનો ઉપકાર માનવા લાગ્યો. એક વાર એ આ ગામની સ્મશાનભૂમિમાંથી પસાર થતો હતો, ત્યારે એણે એક વિચિત્ર દૃશ્ય જોયું.... Continue Reading →

અપેક્ષાઓના અંતની અનેધૈર્યસાધનાની નવી પદ્ધતિ !

મૂર્તિની પાસે ઊભા રહીને એક સાધુ બે હાથ લાંબા કરી વારંવાર યાચના કરતો હતો. એ પ્રભુપ્રતિમા પાસે ભિક્ષા માગતો હતો અને એને જોનારા સહુ કોઈના મનમાં એ સવાલ જાગતો હતો કે આ પ્રતિમા તે કઈ રીતે આ સાધુને ભિક્ષા આપવાની છે ? સાધુના આ નિત્યકર્મને જોઈને ઘણાને આશ્ચર્ય થયું, પરંતુ કોઈ એમને પૂછવાની હિંમત કરી... Continue Reading →

ભયભીત સહાયકે વિચાર્યું કે આત્મહત્યા કરું

ચીનના સમ્રાટના મંત્રી શાહ ચાંગ એમની મહેનત અને ઉદારતા માટે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ હતા. સહુ કોઈ એમને આદર આપતા હતા અને આ મંત્રી રાતદિવસ પ્રજાકલ્યાણનાં કાર્યોમાં ડૂબેલા રહેતા હતા. એક વખત સમ્રાટે એમને એક મહત્ત્વની ઘટના વિશે બીજે દિવસે સવારે અહેવાલ લખીને આપવાનું કહ્યું. મંત્રી શાહ ચાંગ અને એમના સહાયક કર્મચારી એની વિગતો તૈયાર કરવા... Continue Reading →

અમીરી અને ફકીરી વચ્ચેવર્ષો જૂની દુશ્મનાવટ છે !

સૂફી સંત મિયાં મીરની ખ્યાતિ સાંભળીને એક બાદશાહ એને મળવા માટે ગામ બહાર આવેલી એની ઝૂંપડી પાસે ગયા. આ ઝૂંપડીની બહાર એક ફકીર ઊભો હતો. એને જોઈને બાદશાહે કહ્યું, ‘મારે સંત મિયાં મીરને મળવું છે. હું આ રાજ્યનો શહેનશાહ છું. એમનાં દર્શન કરવા માટે અંદર જઈ શકું ?' પેલા ફકીરે એમને થોડી વાર થોભવાનું કહ્યું.... Continue Reading →

દીનાર છોડી શકું, ઈમાનદારી નહીં !

સાઉદી અરેબિયાના પ્રખર જ્ઞાની બુખારી વિદ્વત્તા અને પ્રમાણિકતાનો માપદંડ ગણાતા હતા. એક વાર એ લાંબી દરિયાઈ સફર માટે નીકળ્યા, ત્યારે સફરના ખર્ચ માટે કોથળીમાં એક હજાર દીનાર સાથે લીધા. યાત્રાના સમયે પ્રવાસીઓ સાથે એમની જ્ઞાનવાર્તા ચાલી. એમાંય સઘળા મુસાફરોમાં એક મુસાફર સાથે વધુ નિકટતા સધાઈ. એક દિવસ વાતવાતમાં બુખારીએ એને પોતાની પાસેની એક હજા૨ દીનારની... Continue Reading →

પોતાની પસીનાની કમાઈનો આનંદ જુદો હોય છે !

અતિ આળસ ધરાવતા મોહનલાલને કોઈ પણ કામ કરવું પડે, તો એના માથે આકાશ તૂટી પડતું. મહેનત સાથે એને કોઈ મેળ નહોતો અને પુરુષાર્થ સાથે બારમો ચંદ્રમા હતો. આળસુ મોહનલાલ ધીરે ધીરે ચોરીના રવાડે ચડી ગયો. એની પત્ની સુશીલાએ પતિનાં કારસ્તાનો જાણ્યાં, તેથી એને ભારે દુઃખ અને આઘાત લાગ્યા. હવે કરવું શું ? એ જાણતી હતી... Continue Reading →

પ્રસન્નતા પ્રાપ્ત કરવાની પગદંડી કઈ ?

શિક્ષકના ચિત્તમાં જ્યારે સમસ્યા પેદા થાય છે, ત્યારે એની વિટંબણાનો પાર હોતો નથી. અત્યાર સુધી અન્યના પ્રશ્નોનો ઉકેલ આપનારને પોતાનો પ્રશ્ન અન્ય સમક્ષ પ્રગટ કરતાં પારાવાર સંકોચ થાય છે. શિક્ષક બૅન જૉનની આવી કફોડી પરિસ્થિતિ હતી અને એ સતત એ વિચારથી પરેશાન હતો કે આખરે જીવનમાં પ્રસન્નતા કઈ રીતે પ્રાપ્ત થઈ શકે ? આ માટે... Continue Reading →

સ્વાર્થપરસ્તોને મદદ કરવાનું મારું કામ નથી !

ગામના ચોરા પર બેઠેલા ફકીરની પાસે આવીને એક નવયુવાને કહ્યું, ‘મેં ચોતરફ આપની નામના સાંભળી છે, લોકો આપની ફકીરી આગળ શિર ઝુકાવે છે. મારી ઇચ્છા છે કે હું આપનો શાગિર્દ બનું.' ફકીરે હસીને કહ્યું, ‘ઓહ ! તું મારો શાગિર્દ બનવા માગે છે ? હા, તને બનાવું ખરો, પરંતુ માત્ર એક દિવસ માટે.’ યુવકે ફકીરની વાતનો... Continue Reading →

તમારી સાચી ઉંમર કેટલી ?

નગરમાં પ્રભાવશાળી સંતનું આગમન થતાં એમના દર્શનાર્થે આખું નગર ટોળે વળ્યું. રાજા, મંત્રી, સેનાપતિ, શ્રેષ્ઠી અને સહુ કોઈ એમનાં દર્શન માટે આતુર બનીને આવ્યા હતા. રાજાએ સંતને ભેટ આપવા માટે સુવર્ણમુદ્રાનો થાળ સાથે લીધો હતો, તો નગરશેઠે એમના ભોજન માટે ફળ-ફળાદિ લીધાં હતાં. રાજાએ સુવર્ણમુદ્રાથી ભરેલો થાળ સંતની સમક્ષ મૂક્યો, તો સંતે એના તરફ દૃષ્ટિ... Continue Reading →

ધર્મના મહાન લક્ષ્યને છોડીને ક્ષુદ્ર ચમત્કારોમાં ફસાઈ ગયો !

રાજગૃહી નગરીમાં એક વિલાસી ધનવાને પ્રસિદ્ધિ મેળવવા માટે એક વિચિત્ર નુસખો અજમાવ્યો. એણે એક રત્નજડિત કીમતી પ્યાલામાં શરાબ ભરીને એક ઊંચા થાંભલા પર ટીંગાડી દીધો અને એની નીચે લખ્યું, ‘જે કોઈ સાધક, સિદ્ધ કે યોગી આ થાંભલા પર ઊંચે ટીંગાડેલા શરાબના રત્નજડિત પ્યાલાને સીડી કે અન્ય સહાય વગર પોતાની યોગશક્તિથી નીચે ઉતા૨શે, તો તેની સર્વ... Continue Reading →

છેવાડાના સૌથી વધુ ભૂખ્યા માનવીનો વિચાર કર્યો, માટે અધિક ધન્યવાદ !

આકાશમાં વાદળો ઘેરાતાં હતાં, પરંતુ વરસાદ વરસતો નહોતો. ચોતરફ દુષ્કાળના ઓળા પથરાયેલા હતા. લોકોને પેટ પૂરતું અન્ન મળતું નહીં અને પશુઓ પણ ઘાસચારાના અભાવે કરુણ રીતે મૃત્યુ પામતાં હતાં. આવે સમયે ગંગાકિનારે આવેલા આશ્રમમાં ઋષિ અભેન્દ્રએ પોતાના ત્રણે શિષ્યોને બોલાવ્યા અને કહ્યું, ‘તમે જાણો છો કે દુષ્કાળને કારણે લોકો ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારે છે. બાપ દીકરાને... Continue Reading →

વાંસની ટોપલીમાં પાણી ભરી લાવો !

તક્ષશિલા વિદ્યાપીઠના ઉત્તમ આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યએ ત્રણ શિષ્યોનું ગુરુકુળનું સત્ર પૂર્ણ થતાં પરીક્ષા લેવાનું નક્કી કર્યું. ‘કૌટિલીય અર્થશાસ્ત્ર નામના રાજનીતિવિષયક ગ્રંથના રચયિતા કૌટિલ્ય વ્યાવહારિક જ્ઞાનને વિશેષ મહત્ત્વ આપતા હતા. જીવનભર અકિંચન બ્રાહ્મણ રહેલા કૌટિલ્યએ પોતાના શિષ્યોના વ્યક્તિત્વને આગવી રીતે ઘડવાનો પ્રયાસ કર્યો. આચાર્ય વિષ્ણુગુપ્તે પોતાના ત્રણે શિષ્યોને વાંસની ટોપલી આપી અને કહ્યું કે આમાં પાણી... Continue Reading →

આધ્યાત્મિકતા એટલે સ્નેહીજનના સ્નેહની અવગણના નહીં !

અઠ્ઠાવીસ વર્ષની વયના રાજકુમાર વર્ધમાન પિતા રાય સિદ્ધાર્થ અને માતા રાણી ત્રિશલાના અવસાન પછી દીક્ષા માટે તૈયારી કરવા લાગ્યા. માતા-પિતાના સ્નેહનું બંધન દૂર થયું હતું. સંસારમાં રહીને વિરાગની સાધના ચાલતી હતી. હવે સંસાર છોડીને વિરાગની ધૂણી ધખાવવી હતી. આને માટે પોતાના ભાઈ નંદિવર્ધન પાસે આવ્યા. રાજકાજમાં સહુથી ખરાબ વેર ભાઈ-ભાઈ વચ્ચે હોય ! એક મિલકતના... Continue Reading →

માછલીઓનું ગળું દબાવવાનોઆપણને અધિકાર છે ખરો ?

વિહાર કરતાં જઈ રહેલા ભગવાન બુદ્ધની નજર તળાવના કિનારે પાણીમાં જાળ બિછાવીને બેઠેલા માછીમાર પર પડી. ભગવાન બુદ્ધે જોયું કે જાળમાં માછલી ફસાય એટલે માછીમાર એને ખેંચી લેતો હતો અને પાણી વિના તરફડતી માછલીઓ મૃત્યુ પામતી હતી. આ જોઈને ભગવાન બુદ્ધનું હૃદય દ્રવી ગયું અને માછીમાર પાસે જઈને બોલ્યા, ‘અરે ભાઈ, તું શા માટે આ... Continue Reading →

ખુદાના બંદાને કોઈની દલાલી જોઈએ નહીં !

ઈરાનના દરિયાદિલ અને દાનેશ્વરી એવા શહેનશાહના મહેલમાં ફકીર આવ્યો અને એના દિલમાં એવો ભાવ હતો કે શહેનશાહ પાસેથી દાન-ખૈરાત મેળવું. આમ તો ખુદાની રાહમાં નીકળેલો ફકીર સદાય મોજ-મસ્તીમાં રહેતો હતો અને ખુદાપરસ્તી સાથે જીવતો હતો. એણે ઈરાનના શહેનશાહને સંદેશો મોકલ્યો અને કહ્યું કે આ ખુદાનો બંદો તમારા જેવા નેક શહેનશાહને મળવા માટે અતિ આતુર છે.... Continue Reading →

તું રાજ્યનો રાજા નથી, કિંતુ કુશળ સેવક છે !

ભિક્ષાર્થે નીકળેલાં છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સમર્થ સ્વામી રામદાસે શિવાજી મહારાજના કિલ્લાની બહાર ઊભા રહીને ભિક્ષા માટે અવાજ કર્યો. પોતાના ગુરુનો અવાજ પારખી છત્રપતિ શિવાજી ખુલ્લા પગે દોડતા ધસી આવ્યા અને બોલ્યા, ‘આપ તો મારા સમર્થ ગુરુ છો. તમે આવી રીતે ભિક્ષાની યાચના કરીને અમને શરમમાં નાખશો નહીં.' સ્વામી રામદાસે હસતાં હસતાં કહ્યું, ‘શિવા, આજે... Continue Reading →

નોકરની ઉપેક્ષા કરી હોત તો માનવતા કલંકિત થાત !

પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના અંગ્રેજ ન્યાયાધીશ મિસ્ટર કિલીને ત્યાં કામ કરતો ભારતીય નોકર એક વાર બજારમાંથી સામાન લઈને પાછો ફરતો હતો. આ સમયે ન્યાયાધીશના બંગલાની બહાર એક પાગલ કૂતરાએ એને બચકું ભર્યું. નોકર જોરજોરથી રડવા લાગ્યો. એનો રડવાનો અવાજ સાંભળીને ન્યાયાધીશ બહાર આવ્યા અને એમણે જાણ્યું કે એક પાગલ કૂતરાએ એને બચકું ભર્યું છે. ન્યાયાધીશે... Continue Reading →

દેવી લક્ષ્મીનું વાહન ઘુવડ કેમ ?

અમેરિકામાં ભારતીય સંસ્કૃતિનું મહિમાગાન કરનાર સ્વામી વિવેકાનંદ અમેરિકાની યુનિવર્સિટીમાં ‘ભારતીય સંસ્કૃતિ અને એનું આધ્યાત્મિક રહસ્ય', એ વિષય પર વક્તવ્ય આપતા હતા. એમની પ્રભાવક વાણી સાંભળવા માટે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને જુદા જુદા વિષયના વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓ એકાગ્રતાથી સ્વામીજીનું વક્તવ્ય સાંભળતા હતા. એ સમયે સ્વામી વિવેકાનંદે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ અને ધર્મનાં બધાં... Continue Reading →

જીવનની સૌથી મોટી કલા કઈ ?

એ બુદ્ધિમાન યુવકને જોઈને ગામમાં સહુ કોઈ આશ્ચર્યચકિત થઈ જતા. ગામડામાં વસતો એ યુવક રોજ નવું નવું શીખતો હતો. એણે ધનુષ્ય-બાણ બનાવનારા પાસેથી ધનુષ્ય-બાણ બનાવવાની કારીગરી શીખી લીધી. એણે નૌકા બનાવનાર પાસેથી નૌકા બનાવવાની કલા શીખી લીધી. શિલ્પી પાસેથી શિલ્પરચનાના કલા-કસબ જાણીને એમાં પારંગત બની ગયો. આ રીતે એ રોજ નવી નવી કળાઓ શીખતો જતો... Continue Reading →

એમ કંઈ ગુરુ બનાવાય ખરા ?

ભારતના સમાજસુધારક, ધર્મસુધારક અને રહસ્યવાદી સંતકવિ તરીકે જાણીતા થયેલા દાદૂ દયાલનો જન્મ અમદાવાદમાં થયો હતો. એમણે બાબા વૃદ્ધાનંદ પાસે દીક્ષા લીધી અને ત્રીસ વર્ષની વયે રાજસ્થાનના સાંભર ગામમાં જઈને રહ્યા. દાદુ દયાલે ‘બ્રહ્મ સંપ્રદાય' સ્થાપ્યો, જે સમય જતાં ‘દાદૂ પંથ'ને નામે પ્રચલિત બન્યો. એ પછી રાજસ્થાનના આમેરમાં ચૌદ વર્ષ રહ્યા અને તેમની ખ્યાતિથી પ્રેરાઈને ઈ.... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑