આજથી આરંભીને આગામી એકસો વર્ષના શુદ્ધ મુહૂર્તો આપતું અજોડ શતવર્ષીય શાસ્ત્રીય પંચાંગ

આજથી 114 વર્ષ પહેલાં યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ કરેલું ભવિષ્યદર્શન આજે, વર્તમાન સમયે સાચું પડ્યું છે. એક સદી પૂર્વે એમણે કહ્યું હતું કે ભારત અહિંસક માર્ગે આઝાદી મેળવશે અને દેશમાં વિજ્ઞાનનો મહિમા થશે. રાજ-રજવાડાંનો એ સમય હતો, ત્યારે એમણે ભવિષ્ય ભાખ્યું કે આ રાજાશાહી ચાલી જશે અને જગતમાં ઉદ્યોગો અને કળાનું સામ્રાજ્ય સ્થપાશે. આજે પારાવાર... Continue Reading →

કોરા કાગળની કમાલ !

ગુજરાતના સમર્થ સાહિત્યકાર શ્રી ચંદ્રવદન મહેતાની આજે જન્મજયંતી, પરંતુ કેટલાંક સર્જનનું સ્મરણ શાશ્વત હોય છે, એમ હજી આજેય કવિ, નાટ્યકાર ચંદ્રવદન મહેતા આપણી વચ્ચે જીવંત છે એમની ભાવના, પુરુષાર્થ અને તપશ્ચર્યાથી. ચંદ્રવદન મહેતા એ માત્ર ગુજરાતનું જ નહીં, બલ્કે આપણા દેશનું એક વિરલ રત્ન. પણ કોણ જાણે કેમ ગુજરાત દેશવાસીઓ સુધી એમની પ્રતિભાને પહોંચાડી શક્યું... Continue Reading →

કોણે આપ્યું આદેશને ‘ભારત’ નામ !

ભૂતકાલીન ભૂતકાળમાં ખેલાયેલાં યુદ્ધોનો ઇતિહાસ મળે છે અને વર્તમાનમાં ઇતિહાસમાં આલેખાયેલી એ ઘટનાઓ વિશે થતાં યુદ્ધો જોવા મળે છે ! આધુનિક ઇતિહાસવિદોએ અંતે સ્વીકાર્યું કે ઇતિહાસમાં સતત ખોજ કરતાં મળતાં નવા તથ્યો અને અમુક વિચાર કે વાદનાં ચશ્માં પહેરીને લખાયેલા ઇતિહાસમાં પરિવર્તનની જરૂર છે. આને કારણે આજે ‘હિસ્ટ્રી ઇઝ ડિબેટ’ (ઇતિહાસ એ ચર્ચા છે)એ સૂત્ર... Continue Reading →

અંતે મહમ્મદઅલી ઝીણાને ઝૂકવું પડ્યું !

એ જમાનામાં દેશ આખામાં રાજનેતા મહમ્મદઅલી ઝીણાનું નામ ગાજતું હતું. એમણે મુસ્લિમો માટે અલગ દેશની માગણી કરીને દેશમાં નવો વિવાદ ખડો કર્યો હતો. આને પરિણામે આઝાદીનાં અજવાળાંનો અનુભવ થાય, તે પહેલાં દેશની પ્રજાને વિવાદ, વિખવાદ અને વૈમનસ્યનો ભોગ બનવું પડ્યું. ભાઈચારાભરી દોસ્તીને બદલે વેરઝેરની આગ સળગવા લાગી. ભારત અને પાકિસ્તાનની ભેદરેખા દોરાવા માંડી. એ સમયે... Continue Reading →

મેરા બેટા ઇન્ડિયા કે લિયે ખેલ રહા હૈ !

છેક મહાન રણજિતસિંહના સમયથી ભારતીય ક્રિકેટમાં કોઈને કોઈ ‘હીરો’ની બોલબાલા જોવા મળે છે. રણજિતસિંહે એમના ક્રિકેટ કારનામાઓ તો ઇંગ્લૅન્ડની ધરતી પર કર્યા, પરંતુ આખોય ભારત દેશ એનાથી ગર્વ અનુભવતો રહ્યો. સૌરાષ્ટ્રમાં તો રણજિતસિંહ વિશે એવી દંતકથાઓ પ્રચલિત હતી કે નવાનગરનાં આ બાપુએ એવા જોશથી દડો ફટકાર્યો કે એને પકડવા માટે એક ગોરો ખેલાડી દોડ્યો, બે... Continue Reading →

આવનારી આફતો સામે અગમચેતી બધું ભસ્મીભૂત થઈ જાય ત્યારે ?

જ્યારે તમે એક બિનશાકાહારી ટુકડો ખાવ છો, ત્યારે તમે મડાગાસ્કર ટાપુના એક માકડાની હત્યા કરો છો. જ્યારે તમે ચીકન ખાવ છો, ત્યારે તમે એમેઝોનનાં જંગલોમાં આવેલા એક પોપટને મારી નાખો છો, આ વાક્યો છે અમેરિકાના જીઓફિઝિસિસ્ટ ગીડોન એશેલના કે જેમણે ખેતી અને માનવ આહાર પર ભૌગોલિક પરિસ્થિતિની થતી અસર વિશે ગહન અભ્યાસ કર્યો છે. એમના... Continue Reading →

રાષ્ટ્ર વિનાના રાષ્ટ્રગીત

માનવી વિશ્વમાનવી બને ત્યારે શું થાય ? આપણે ‘વસુધૈવ કુટુંબકમ્’ અને ‘વિથં ભવતિ એક નિડમ’ (આખું વિશ્વ માળો બને) એવાં સૂત્રો દ્વારા આપણી વૈશ્વિક કલ્પનાને સાકાર કરીએ છીએ, ત્યારે સવાલ એ આવે છે કે રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેની ભેદરેખાઓ ભૂંસવી કઈ રીતે ? પ્રત્યેક દેશનાં રાષ્ટ્રગીત એ પોતાના દેશની રાષ્ટ્રીયતા, ગૌરવ અને વિશેષતા પ્રગટ કરતા હોય છે.... Continue Reading →

હિંદુ ક્રિકેટના ભૂલાયેલા સર્જક : દેવીદાસ વીરજી

ભારતીય ક્રિકેટમાં આજે ગુજરાતનાં ખેલાડીઓ મોખરાનું સ્થાન ધરાવે છે, પણ એના મૂળમાં તો મહાન ખેલાડી રણજિતસિંહે ઇંગ્લૅન્ડની ધરતી પર કરેલા કારનામાઓની દંતકથાઓનો કાઠિયાવાડ(આજનું સૌરાષ્ટ્ર) પર પડેલો પ્રભાવ છે અને એ કાઠિયાવાડનાં અનેક ખેલાડીઓએ ભારતીય ક્રિકેટનાં પ્રારંભમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે, પરંતુ આજે એક એવા ખેલાડીની વાત કરવી છે કે જેની ભારતીય ઇતિહાસમાં ક્યાંય નોંધ મળતી... Continue Reading →

‘થ્રી ડાયમેન્શન’થી જીવન–સમસ્યાનો ઉકેલ !

ફોર્મ્યુલા વનની રેસમાં ઝૂકાવનાર મોટરચાલક હંમેશાં રસ્તા પર સીધી દૃષ્ટિ રાખીને રેસમાં કાર દોડાવશે, જ્યારે કોઈ ગાઢ જંગલમાં ઝરણાંઓ, નદીઓ, પર્વતોની વચ્ચેથી માર્ગ કરનાર સાહસપ્રેમી આગળ વધવા માટે જુદા જુદા આડા અવળા રસ્તા ખોળવાનો પ્રયત્ન કરશે. મોટરકારના ચાલકની નજર સમક્ષ એક જ લક્ષ્ય હોય છે, જ્યારે ગાઢ જંગલો વીંધનારાઓ ચોતરફ દૃષ્ટિ કરતા આમતેમ જઈને માર્ગ... Continue Reading →

આખરે ચંદુ ચેમ્પિયનની ખ્વાહિશ પૂરી થઈ !

અંતે આ વર્ષે મુરલીકાન્ત પેટકરને રાષ્ટ્રપતિના હસ્તે અર્જુન ઍવૉર્ડ મળ્યો અને ચિત્તમાં અનેક સ્મરણો ઉભરાઈ રહ્યા. છેક 1973માં ‘અપંગના ઓજસ’ નામનું પુસ્તક લખ્યું. એ સમયે મનમાં એક મથામણ હતી કે આ અપંગોની કેવી ઘોર અવહેલના કરવામાં આવે છે ! કોઈ એમને બીજા દરજ્જાના નાગરિક ગણે છે, તો કોઈ એમને અશક્ત અને ભારરૂપ ગણે છે. મારી... Continue Reading →

જોખમોથી જગતને ડુબાડશે કે સહાય કરીને તારશે ?

આજથી પંદરેક વર્ષ પહેલાં બ્રિટનના પ્રવાસ દરમિયાન એક કૉન્ફરન્સમાં જવાનું બન્યું અને તેમાં ચર્ચા હતી કે ‘શું મશીન માણસને હરાવી દેશે ખરું ?' અને એ સમયે જુદા જુદા વિષયના તજ્જ્ઞોએ પોતાનાં મંતવ્યો વ્યક્ત કરતાં કહ્યું કે, ‘મશીન ગમે તેટલાં બનાવશો, તોપણ એ માણસની બુદ્ધિને ક્યારેય આંટી જાય એવી કોઈ શક્યતા નથી.’ પરંતુ આજે એ મશીનોની... Continue Reading →

વિશ્વ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પ્રભુત્વ વિનાશ વેરશે ?

માત્ર 24 શબ્દો પાછળ આવતીકાલના વિશ્વની ભયજનક ચિંતાઓ અને સંભવિત જોખમોની વેદના છુપાયેલી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૉર્પોરેશનોનાં ટૅક એક્ઝિક્યુટિવ અને CEOએ પોતાના સંશોધનની સાથોસાથ ભવિષ્યનો ભય પણ રજૂ કર્યો અને એમણે હસ્તાક્ષર સાથે થોડા ડર અને દહેશતથી લખ્યું, ‘રોગચાળા અને પરમાણુયુદ્ધ જેવાં સામાજિક ગંભીર જોખમોની જેમ AIથી પણ જગત લુપ્ત થવાનું જોખમ ઓછું કરવું, એ... Continue Reading →

મારે તો આટલું બસ થાય !

માનવીની મનની ઇચ્છાઓનો કાર્ડિયોગ્રામ સાંભળવા જેવો હોય છે. એ કાર્ડિયોગ્રામમાં ઝિલાયેલા ધબકાર જોવા જેવા છે. એમાં થતી વધ-ઘટનાં સંચલનો જાણવા જેવાં હોય છે. મનનાં બાહ્ય આવરણ અને આચરણને આપણે જોઈએ છીએ, જેમ માનવીના બાહ્ય દેખાવ અને વર્તાવને જોઈએ તેમ. કિંતુ ખરેખર તો એ મનનાં આચરણ પાછળનાં કારણો અને પ્રયોજનોની લીલા જોવી જોઈએ. અજાગ્રત મનમાં શું... Continue Reading →

હિમાલયમાં કૈલાસની પાસે આવેલા બિંદુ સરોવરમાં શ્રીકૃષ્ણે યોજેલાં એક હજાર દિવસનાં ભવ્ય ધર્મસત્રો !

શ્રીકૃષ્ણની અકળ લીલાનો પાર પામવાનો માનવીય પ્રયાસ સદૈવ અપૂર્ણ જ રહેવાનો. એમના ઐશ્વર્યને પામવા માટેના આપણા સઘળા પ્રયત્નો અપૂરતા જ રહેવાના. એ વિરાટ રૂપનાં દર્શન કઈ રીતે થઈ શકે ? જ્યાં ક્ષણે ક્ષણે નાવીન્ય હોય અને ક્ષણે ક્ષણે વિભૂતિમત્તા હોય, આથી તો કવિ હરીન્દ્ર દવેએ 'કૃષ્ણ અને માનવસંબંધો’ ગ્રંથના અંતે ‘અનુકથન’માં સ્વીકાર કર્યો કે કૃષ્ણની... Continue Reading →

કવિ કાન્તના સત્યમંથનને આપણે સમજી શક્યા નહીં !

તમને ક્યારેય એવો પ્રશ્ન જાગ્યો છે કે તમારો જન્મ શા માટે ? એનો હેતુ શો ? હું કોણ છું ? ક્યાંથી આવ્યો ? ક્યાં જવાનો ? આ સૃષ્ટિ સાથે મારો શું સંબંધ ? આ સૃષ્ટિનો નિયંતા કોણ ? જીવનમાં સૌંદર્યરસિકતા અને સ્નેહ પામવાની ઝંખનાનું સ્થાન શું ? તપ, ત્યાગ અને સંયમના આદર્શો કેટલા ફળદાયી ?... Continue Reading →

ક્રિકેટ : સ્મૃતિના ઝરૂખેથી !

માત્ર જમાનાનો રંગ બદલાતો નથી, પણ જીવનના રંગો પણ બદલાતા હોય છે. એક સમય હતો કે જ્યારે એક જ દિવસના ‘ગુજરાત સમાચાર'માં ખેલાતી મૅચનો અહેવાલ, ખેલાડીની મુલાકાત, ૨મતની સમીક્ષા અને મૅચની વિશેષ બાબતો એમ ચાર ચાર લખાણો પ્રગટ થતાં હતાં. ‘ક્રિકેટ રમતા શીખો' અને ‘ભારતીય ક્રિકેટરો' તથા ‘ક્રિકેટના વિશ્વવિક્રમો' જેવી પુસ્તિકાઓની લાખેક કૉપી વેચાતી હતી... Continue Reading →

સાચો ધર્મ તો છે‘સત્’ તત્ત્વની ખોજમાં !

પ્રત્યેક વિચારશીલ કે આધ્યાત્મિક વ્યક્તિની ખોજ હોય છે સાચા ધર્મની, પરંતુ એની આસપાસ સંપ્રદાયની દીવાલો રચાયેલી હોય છે. ક્યાંક મતાંધતાનું ઝનૂન હોય છે, તો ક્યાંક મતભેદને જકડીને બેઠા છે. કોઈ પોતાના વાદને સંપૂર્ણ અને શાશ્વત કહે છે, તો કોઈ પોતાના મતાગ્રહને આંખ મીંચીને વળગી રહે છે. મતાંધતા, મતભેદ અને મતાગ્રહના ત્યાગ પછી વ્યક્તિ સાધનાસોપાનનું પ્રથમ... Continue Reading →

‘મૉર્નિંગ સ્કૂલ મ્યુટિની’

ભૂતકાળ પણ કેટલો રોમાંચથી ભરપૂર હોય છે ! ‘આજ’માં જીવતી વ્યક્તિને અતીત કેટલો બધો આશ્ચર્યભર્યો અને રસપ્રદ લાગતો હોય છે ! એ અતીતની ખોજ કરતાં આજથી 120 વર્ષ પૂર્વે 19મી સદીમાં પરીક્ષાનો કેવો માહોલ હતો એ જાણવું રસપ્રદ બને. આજે માતૃભાષાને બદલે અંગ્રેજી માધ્યમની સ્કૂલો તરફ દોડ ચાલી રહી છે. આ દોડ કંઈ આજની નથી.... Continue Reading →

મુક્ત માનુષનો પંથ !

બંગાળના આ બાઉલ સંતોને તમે જાણો છો ? આ બાઉલને કોઈ શાસ્ત્ર-ગ્રંથવિહીન વિશિષ્ટ બોધ આપતો વર્ગ માને છે, તો કોઈ એમ માને છે કે બાઉલ સારતત્ત્વ દ્વારા મનને કોઈ બોધ ત૨ફ અંગુલિનિર્દેશ કરે છે. કોઈને બાઉલ સંતોના ગાનમાં પરમ પ્રકાશ પાસે પહોંચવાનો અધ્યાત્મ પુરુષાર્થ જોવા મળે છે, તો કોઈને મનુષ્ય પ્રકૃતિની પ્રત્યક્ષ પ્રેરણારૂપ લાગે છે.... Continue Reading →

યુધિષ્ઠિરને નામે યુદ્ધ !

કુરુક્ષેત્ર પર અઢાર-અઢાર દિવસ સુધી મહાભારતનું યુદ્ધ ખેલાયું, પરંતુ એ મહાભારતની કથાએ સાહિત્ય, ચિત્રકલા અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે કેટકેટલાંય રસપ્રદ સમરાંગણો રચ્યાં છે. કોઈએ સાહિત્યના શબ્દથી એનું યુદ્ધ ખેલ્યું છે, કોઈએ સામાજિક વિજ્ઞાનની દૃષ્ટિએ એની ચર્ચા કરી છે, તો કોઈએ પોતાના તત્ત્વજ્ઞાનને આધારે મહાભારતની ઘટનાનું ગંભીર અર્થઘટન કર્યું છે. ગુજરાતી સાહિત્યના બે પ્રખર વિદ્વાનો વચ્ચે મહાભારતના... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑