સવાલ એ છે કે માનવજાત શસ્ત્રથી નાશ પામશે કે સ્વયંથી વિનાશ પામશે ? આજના વિશ્વ સમક્ષ ઊભેલી આ સમસ્યાની સ્થિતિ ભસ્માસુર જેવી છે. જેને સ્પર્શે એને ભસ્મીભૂત કરી દે એવું ભગવાન શંકર પાસેથી વરદાન મેળવનાર ભસ્માસુર વિષ્ણુના મોહિની રૂપને જોઈને નૃત્ય કરતા પોતાના માથે હાથ મૂકે છે અને સ્વયં ભસ્મીભૂત થઈ જાય છે. આજની મનુષ્યજાતિ... Continue Reading →
મૅચ મુલતવી રહી છે !
માત્ર સવા ત્રણ ઇંચ વરસાદ અને એકાદ ઝાપટાને કારણે ફક્ત ચાલીસ ઓવરની મૅચ ત્રણ-ત્રણ દિવસ ચાલે તે કેવું કહેવાય ? આઈપીએલની ફાઇનલમાં પ્રેક્ષકોને ઊંચા જીવે મૅચ જોવા આવવું પડ્યું અને શું થશે એના કુતૂહલ સાથે ઉજાગરા વેઠવા પડ્યા. ક્રિકેટમૅચમાં આવતો આવો અવરોધ પરેશાન કરનારો હોય છે. મૅચના દિવસોનું હવામાન ક્રિકેટ-૨મતને અને એના પરિણામને ભારે પ્રભાવિત... Continue Reading →
મેસ્સીની માનવતા મહોરી ઊઠી !
વિશ્વમાં સૌથી વધુ દર્શકો ધરાવતી અને સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી વળેલી ફૂટબૉલની લોકપ્રિય રમતમાં યોજાતી સ્પર્ધાઓ પર આખી દુનિયાની નજર હોય છે. ફૂટબૉલની રમતનો રંગ જુદો અને એની આશિકી પણ અનેરી ! દુનિયાના દેશોમાં ભારત ફૂટબૉલની રમતમાં ખૂબ-ખૂબ પાછળ છે, પરંતુ કેટલાક દેશોમાં તો ફૂટબૉલ એ ધર્મ મનાય છે અને આથી જ ફૂટબૉલનો વિશ્વકપ ખેલાય, ત્યારે... Continue Reading →
91મા વર્ષે યુધિષ્ઠર હસ્તિનાપુરના રાજા બન્યા !
આજના સંદર્ભમાં જેને ઇતિહાસ કહેવામાં આવે છે, એ અર્થમાં મહાભારત ઇતિહાસ નથી. આમેય ભારતમાં એ સમયે ઇતિહાસ શબ્દનો અર્થ કોઈ કાલબદ્ધ વૃત્તાંત નહીં, પરંતુ જે ઘટનાઓ બની છે, એને જુદાં જુદાં પાત્રો અને પુરાકલ્પનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવતી હતી. એ ઇતિહાસ ‘મિથ’ના રૂપે હોય છે. જોકે એ જ કારણે ‘મહાભારત'માં આલેખાયેલો ઇતિહાસ માત્ર કાલબદ્ધ રહેતો... Continue Reading →
દિલના અવાજને અનુસરીને નિર્ણય લો !
ચોતરફ ચૂંટણીનું વાતાવરણ છે, ત્યારે સૌથી મોટી વાત એ છે કે મતદાતાએ એના દિલના અવાજને અનુસરીને નિર્ણય લેવાનો છે. એના પર ચોતરફથી પક્ષો પ્રભાવી બનતા હોય છે, નેતાઓનો આગ્રહ અનુભવતો હોય છે, ભવિષ્યનાં મધમીઠાં વચનોનો આસ્વાદ પણ કરતો હોય છે. સોશિયલ મીડિયાના આક્રમણથી ઘેરાયેલો હોય છે, પરંતુ એણે મતદાન કરતી વખતે તો દિલના અવાજને અનુસરીને... Continue Reading →
સિક્સરના શહેનશાહ તો સી. કે. નાયડુ જ !
આઈ.પી.એલ.ની મૅચોમાં બૅટ્સમૅનો દ્વારા ‘પાવર હીટિંગ’ને કારણે ધડાધડ નોંધાતી સિક્સર દર્શકોનું આકર્ષણ બની રહી છે. આજે તો સિક્સર લગાડતા ખેલાડીનો ચોતરફ ભારે મહિમા છે અને દર્શકો પણ સતત આવી જોરદાર સિક્સર માટે માગણી કરે છે. કૉમેન્ટેટરો પણ આવી સિક્સરને ભારે ચગાવતા હોય છે અને એથીયે વિશેષ તો એ કેટલા મીટર દૂર ગઈ એનું માપ ટેલિવિઝન... Continue Reading →
આ યુગમાં આવું પણ બની શકે છે !
કોઈ ગયા જમાનાની નહીં, પરંતુ આજના યુગના મહાઆશ્ચર્યની વાત ક૨વી છે. આજથી દોઢસો વર્ષ પૂર્વે વિ. સં. 1930માં ઉત્તર ગુજરાતની ધન્ય નગરી વિજાપુરમાં જેમનો જન્મ થયો અને એકસો વર્ષ પૂર્વે વિ. સં. 1981માં એ જ વતન વિજાપુરમાં જેમણે વિદાય લીધી એવા યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું જીવન સ્વયં એક આશ્ચર્ય છે. પહેલું આશ્ચર્ય એ કે બાળપણમાં... Continue Reading →
દેવર્ષિ નારદની ભવ્યતાનું કેવું દુર્ભાગી ખંડન
કેટલીક પ્રજા પોતાના દેશના સમર્થ પુરુષોની ભવ્ય પ્રતિમા ખડી કરીને પ્રેરણા પામે છે, તો કેટલીક પ્રજાને પોતાની ભવ્ય પ્રતિમાઓને ખંડિત કરવાનો વાઇરસ લાગુ પડ્યો હોય છે. એ ભૂતકાળના સમર્થ પુરુષોની ભવ્યતાનો સમાદર કરવાને બદલે કોઈ નાનકડો દોષ કલ્પીને એ મૂર્તિઓને સતત ખંડિત કરવા માટે પ્રયાસ કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલ પર એમના સમયે આક્ષેપોની કેવી... Continue Reading →
જગત પુનઃસ્મરણ કરે છે સરમુખત્યારની એડી હેઠળ કચડાયેલા પ્રેમના કોમળ પુષ્પનું !
જમાનો જેમ રામને પૂજે છે, પણ એમને પૂજવા સાથે રાવણને યાદ કરે છે. જગત જેમ મહાત્મા ગાંધીજીને યાદ કરે છે, તે રીતે સરમુખત્યાર હિટલરને પણ વારંવાર યાદ કરે છે. યુરોપમાં તો આજે સૌથી વધુ પુસ્તકો હિટલર વિશે બહાર પડે છે અને એને કારણે એના જીવનની ઘણી ઘટનાઓનું દરેક લેખક પોતાની રીતે અર્થઘટન કરે છે. તાજેતરમાં... Continue Reading →
ફેન્ટાસ્ટિક રોહિત શર્મા !
પૂર્વે 2011ના વર્લ્ડ કપ સમયે ક્રિકેટર રોહિત શર્મા ઊંડો આઘાત પામ્યો અને એ આઘાતમાંથી મક્કમ મનોબળ અને નિશ્ચિત ધ્યેય સાથે બહાર આવીને એણે 2024ના ટી-20 વર્લ્ડ કપમાં યશસ્વી વિજય મેળવ્યો. રોહિત શર્માને આઘાતનો અનુભવ તો ત્યારે થયો કે જ્યારે પસંદગીકારોએ એના નામની 2011ના વર્લ્ડ કપના ખેલાડીઓમાંથી બાદબાકી કરી નાખી હતી. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની 2011ની... Continue Reading →