વિશ્વના મહાન ક્રાંતિકારી નેતા અને માર્ક્સવાદી વિચારસરણીના પ્રવર્તક વ્લાદિમિર ઇલિચ ઇલિયાનાંવ લેનિને (ઈ. સ. 1870થી 1924) આમ તો રશિયાની પોલીસને થાપ આપવા માટે ‘લેનિન’ નામ ધારણ કર્યું હતું, પરંતુ સમય જતાં એ જ નામથી ખ્યાતનામ બન્યા. 1917ના ઑક્ટોબરમાં થયેલી ક્રાંતિને પરિણામે રશિયાની નવી સરકારનું નેતૃત્વ લેનિનને સોંપવામાં આવ્યું. રશિયાના વિકાસ માટે એમણે અગત્યનું સૂત્ર આપ્યું... Continue Reading →
ક્રૂરતાના જંગમાં અંતે વિજય તો માનવતાનો થાય છે !
મોત સામે લડતાં બાળકોને હું મોજ કરાવું છું ! મંગલ તાઈ આજે વિશ્વમાં થતાં યુદ્ધોમાં ક્રૂરતા જોવા મળે છે, પણ એથીયે વિશેષ ઘોર ક્રૂરતા તો માનવી અન્ય માનવી પર આચરતો હોય છે. યુદ્ધમાં થતી ક્રૂરતાને કારણે વ્યક્તિ તત્કાળ મૃત્યુ પામે છે, પરંતુ અહીં તો માનવી રોજેરોજ ત્રાસ, દમન અને શોષણની ક્રૂરતા સાથે મજબૂર બનીને જીવતો... Continue Reading →
જીવન એટલે વેદનાની કરુણ ચીસ સાથે, નિશ્વાસ નાખતાં શ્વાસ પૂરા કરવાનો ખેલ !
અમે બાળકીને બચાવીશું ખરા, પણ એને જિવાડવું પડશે તમારે જ ! મંગલ તાઈ આજે વર્ષો વીત્યાં છતાં આફ્રિકાના નાયરોબી શહેરથી થોડે દૂર આવેલી ઝૂંપડપટ્ટીનાં એ ભયાવહ દૃશ્યો હજી આંખ સામે તરવરે છે ! ગરીબી, બેહાલી અને વ્યસનની નાગચૂડમાં રિબાતા ગરીબોને માથે રોજ ભૂખના કોરડા વિંઝાતા હોય, હાડપિંજર પર ચામડી લપેટી હોય એવું શરીર થઈ ગયું... Continue Reading →
સૌથી વધુ રડી હશે ખેડૂત કન્યા, જેણે પ્રેમને ત્યાગનો રંગ આપ્યો !
સંસારના એ નવયુવાન પાસે કાંટામાં ગુલ જોનારું એનું દિલ હતું. ગુલમાં કાંટા જોવાની અવસ્થા હજી દૂર હતી. પિતા ગર્ભશ્રીમંત જાગીરદાર હતા. જુગાર, શરાબ અને સુંદરી એમની શ્રીમંતાઈના શોખ હતા. એમના મોટા બગીચાઓમાં તરેહતરહનાં ફૂલ હતાં, એમ એમની સૌન્દર્યવાડીઓમાં તરેહતરેહનાં સૌંદર્ય-પુષ્પો હતાં. રસ્તે જતાં એ આશક બની જતા. જમાનો પણ એવો કે રસ્તે જતાં સસ્તી માશુકાઓ... Continue Reading →
રેમન્ડ ડોલ્ફિન દરેક શિક્ષકની ભીતરમાં વસે છે !
અમેરિકાના કનેક્ટિકટમાં આવેલી આઈલિંગ મિડલ સ્કૂલના સહાયક પ્રાચાર્ય બનવાની સાથોસાથ રેમન્ડ ડોલ્ફિનને એક હકીકતનો તત્કાળ જ અહેસાસ થઈ ગયો કે સ્કૂલના વિદ્યાર્થીઓની હાલત બરાબર નથી. એમણે જોયું કે આજના વિદ્યાર્થીનો જેટલો સંબંધ માતા-પિતા સાથે બંધાય છે, એટલો જ સંબંધ સ્માર્ટફોન સાથે બંધાઈ જાય છે અને પછી એ ગમે રમે. પૈસાથી ગેમિંગ કરે, અભ્યાસ વખતે પણ... Continue Reading →
દેજો દરિયામાં દોટ ! રાખણહારો રામ છે !
પર્વના પવિત્ર દિવસો તો અભયદાનનો અનુપમ અવસર ગણાય ! સાડાત્રણસો વર્ષ પહેલાંનું એક સવાર ઊગતું હતું. ખંભાત બંદરના ડક્કા ઉપર ઉષાનાં સુંદર અજવાળાં હમણાં જ પથરાયાં હતાં. ક્ષિતિજ સુધી પથરાયેલો રત્નાકર પોતાની ગોદમાં નૌકાઓને રમાડી રહ્યો હતો, પણ એ નૌકાનારીઓ કંઈક રિસાયેલી હતી. દિવસોથી અંતઃપુરમાં પૂરી રાખેલી મદભર માનુનીની જેમ, કેટલાય વખતથી લંગર નાખીને બંધનમાં... Continue Reading →
સોશિયલ મીડિયા એ ગુસ્સો ઠાલવવાનું સાધન કે દૂષિત વૃત્તિથી ડંખ મારવાનું માધ્યમ !
તત્કાળ પ્રતિક્રિયા આપવાની આદત પારાવાર પરેશાની ઊભી કરે છે ! જમાનો આવ્યો છે તત્કાળ પ્રતિક્રિયાનો. હજી બોલવાનું માંડ પૂરું થાય કે તત્ક્ષણ રોકડો જવાબ મળી જાય. એક સારી કે ખરાબ ઘટના બની અને તરત જ એને વિશે વાત. મોટા ભાગની વ્યક્તિઓ તો જાણે વૉટ્સઅપ કે ઈમેલ પર ઉત્તર આપવા ટાંપીને બેઠા હોય તેમ લાગે !... Continue Reading →
કવિરાજ શબ્દને કલંક લાગ્યું, જુઓ, આજે હું કવિદાસ બની ગયો !
જીવનભરના જોદ્ધોના મુખ પર એ પછી કયારેય સ્મિત જોવા ન મળ્યું ! કવિ નર્મદ ‘અર્વાચીનોમાં આદ્ય' ગણાયેલા કવિ નર્મદની ૨૪મી ઑગસ્ટે આવતી જન્મતિથિએ ગુજરાતના આ યુગમૂર્તિ સાહિત્યસર્જકનું સ્મરણ થાય છે. ‘વીર, સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી' એવું ગાનારા અને એ પ્રકારે જીવનારા વીર નર્મદ જેવા પ્રાણવંત પૂર્વજની પ્રતિભાના જીવનનો વિરલ ઉન્મેષ જોઈએ.... Continue Reading →
ભારતની આઝાદીનો ઉન્નત ધ્વજ ફરકાવો !
ચાલ્યા જાઓ ! તમને મા જગદંબાની આણ છે ! એ આખરી સલામ સદાને માટે આખરી જ રહી ! સાંજનો સૂરજ લાલપીળો થતો હતો. બંગાળાનાં ઊંચાં ઊંચાં વાંસનાં જંગલો અને મગરમચ્છોથી ભરેલી નદીઓ વીંધતો એક અવાજ આવી રહ્યો હતો. ચોતરફ પથરાયેલી ગીચ ઝાડી અને નાની નાની ટેકરીઓએ એ અવાજનો પડઘો પાડી વનની ભયંકરતામાં વધારો કર્યો. જોયું... Continue Reading →
પાણી માટે તરફડતી દુનિયા યુદ્ધોનાં પાણીપત ખેલવાં આતુર છે !
તમારી આંખ અને કાન પર ભરોસા નહીં કરી શકો ! એક સમયે કલ્યાણકારી શોધોએ માનવજીવન પર આશીર્વાદ વરસાવ્યો. પાષાણયુગમાં ઉત્ક્રાંતિ શરૂ થઈ, વૃક્ષના થડને ગબડતું જોઈને ચક્રની શોધ થઈ, બે પથ્થર એકબીજા સાથે ઘસાતાં અગ્નિ પેદા થયો. આમ માનવજાતિના પ્રારંભકાળમાં થતી શોધ માનવજાતિને માટે સુખાકારીરૂપ બની રહી, પરંતુ એ પછી માનવી ખુદ માનવીના લોહીનો તરસ્યો... Continue Reading →
પૃથ્વીને દેવભૂમિ બનાવવા માટે નવું નરક સર્જવાની જરૂર નથી
અતિ મહત્ત્વાકાંક્ષા ક્યારેક માનવતાની ઘાતક બને છે ! દેવાનુપ્રિય પ્રિયદર્શી સમ્રાટ અશોકને, કલિંગના અભૂતપૂર્વ વિજય પછી, એક મહાન આકાંક્ષા જન્મી : આ સૃષ્ટિને દેવભૂમિ જેવી બનાવું; પૃથ્વીપટ પરથી પાપને સમૂલ ઉખેડી નાખું; અધર્મનો સર્વથા સંહાર કરું ને નાસ્તિકતાનું નિકંદન કાઢી નાખું ! પણ આ સંસારને સુધારવા માટે પ્રેમ કરતાં ભય વધુ જરૂરી છે. મંત્રીરાજે કહ્યું... Continue Reading →
દિશાવિહીન અરાજકતા તરફ દોડી રહેલું વિશ્વ !
આપણું ભાવિ અતિ ભવ્ય છે કે ભયાવહ ? કોરોનાની વિશ્વવ્યાપી મહામારીએ આખા જગતને થંભાવી દીધું હતું. એ જ રીતે તાજેતરમાં માઇક્રોસૉફ્ટને કારણે અડધી દુનિયાની કાર્યશક્તિ અપંગ બની ગઈ હતી. માનવજાતિ એની સામે સર્જાતા પ્રચંડ પડકારોનો સામનો કરે છે, પરંતુ ક્યારેક એનો સામનો એ સ્વયંને માટે સમસ્યારૂપ બની જાય છે. કોરોનાની ભીતરમાં કે વર્તમાન સમયમાં માઇક્રોસૉફ્ટનું... Continue Reading →
અર્ધજાગ્રત મનની ઓળખ
અર્ધજાગ્રત મન પર કાબૂ રાખવો એ માટે જરૂરી છે કે એને કારણે મન તમારા નિયંત્રણમાં રહેશે. જો અર્ધજાગ્રત મન પર કાબૂ નહીં હોય, તો તમે આવતીકાલે પરીક્ષા હોય ત્યારે અભ્યાસ છોડીને ટેલિવિઝનની સિરિયલ જોવા બેસી જશો. અર્ધજાગ્રત મન વશમાં નહીં હોય તો, અત્યંત મહત્ત્વનો ‘પ્રોજેક્ટ’ કરતા હશો અથવા તો કોઈ ઉત્કૃષ્ટ કલાકૃતિ રચતા હશો અને... Continue Reading →
માર્ગ અને મુકામ
એવરેસ્ટ આરોહણ કરનાર વચ્ચે કેટલા બધા પડાવ કરતો હોય છે. એક પડાવ કરે, ટેન્ટ બાંધે, થોડું ભોજન લે, આરામ કરે અને ફરી બીજા પડાવ ભણી ગતિ કરે. એક પછી એક પડાવ બાદ અંતે વ્યક્તિ એવરેસ્ટ પર વિજય હાંસલ કરે છે. આપણા જીવનનાં ધ્યેયો પણ એવરેસ્ટ જેવાં છે. પ્રત્યેક વ્યક્તિ ધ્યેય નક્કી કરે છે, પણ સાથે... Continue Reading →
મન સાધ્યું, તેણે સઘળું સાધ્યું
જીવનમાં સૌથી મોટો પડકાર હોય તો એ છે કે આપણું મન આપણી ઇચ્છાને ખોટે માર્ગે લઈ ન જાય. જો મન ઇચ્છાને અવળે માર્ગે દોરી જાય, તો વ્યક્તિના જીવનમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણેય આવે છે. મન એને ખોટે માર્ગે લઈ જઈને વધુ ને વધુ નબળો બનાવે છે. વ્યસન કરનાર માણસને એનું મન સતત નિર્બળ બનાવતું... Continue Reading →
સફળતાનો આનંદ
એકસો મીટરની દોડ એ જગતની સૌથી ઝડપી દોડ કહેવાય છે. એમાં ખેલાડી ટૂંકા અંતરને કાપવા માટે પોતાની પૂરી તાકાત નિચોવી દે છે. કેટલીક વ્યક્તિઓ સફળતા હાંસલ કરવા માટે જિંદગીમાં હંમેશાં એકસો મીટરની દોડ દોડતા હોય છે. એની આ આંધળી દોડમાં એ સતત સફળતાનો નશો કરતો રહે છે અને એના જીવનમાં ક્યારેય એ થોડી વાર શાંત... Continue Reading →
નવીન શક્યતાની ક્ષિતિજો
માણસને જાતે હાર પહેરવાની ભારે બૂરી આદત વળગેલી છે. એ જીવનમાં સફળતા હાંસલ કરે એટલે પોતાની જાતે જ ‘પોતે અત્યંત હોશિયાર છે, બીજાઓ કરતાં ઘણો કુશળ છે અને એની કાબેલિયતનો કોઈ પાર નથી’ એમ માનીને પોતાની પીઠ સતત થાબડતો રહે છે, પરંતુ જો એને નિષ્ફળતા મળે તો એ તરત જ બીજાનો દોષ કાઢવા દોડી જશે.... Continue Reading →
ત્રણ પ્રકારની યાદી
જીવનમાં સફળતા હાંસલ કરવા માટે વ્યક્તિએ ત્રણ યાદી (લિસ્ટ) કરતા રહેવું જોઈએ. એક યાદી તો રોજિંદા કામની છે. સૌથી અગત્યનું કયું કામ છે તેને અગ્રતાક્રમ પ્રમાણે મૂકીને વ્યક્તિ નોંધ કરતી હોય છે. અગ્રતાક્રમની જરૂ૨ એ માટે કે વ્યક્તિનું મન એવું છે કે ઘણી વાર અઠવાડિયા પછી કરવાનું કામ પહેલાં હાથ પર લે છે અને આજે... Continue Reading →
મનની અનોખી ગતિ
તમે કોઈ ગંભીર સર્જરી કરાવવા જતા હો કે પછી પહેલી વાર વિદેશ પ્રવાસે જતા હો અથવા તો મોટા પાયે તૈયારી કર્યા બાદ લગ્નપ્રસંગ સાવ નજીક આવી ગયો હોય, ત્યારે તમારું મન કઈ રીતે વિચારે છે ? આવી ક્ષણે કોઈનું મન સકારાત્મક દિશામાં જાય છે, તો કોઈનું મન નકારાત્મક વિચાર કરે છે. સકારાત્મક વિચાર કરનાર માને... Continue Reading →
સાકારથી નિરાકારની યાત્રા
ઘણી વાર વક્તવ્ય આપતી વખતે એવો અનુભવ થાય છે કે જાણે આપણે બોલતા નથી, પણ સાંભળીએ છીએ. એનો અર્થ એ કે એક ઘટના ઘટતી હોય છે, ત્યારે સમય જતાં એ ઘટનાનું વિલોપન પણ થતું હોય છે. ઈશ્વરની ભક્તિ કરવામાં આવે, ત્યારે એના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે, એના ગુણોની સ્તવના કરવામાં આવે છે, એના ભવ્ય... Continue Reading →