જીવનને જંગ ગણે ને મરણને રંગ ગણે તે જવાંમર્દ ! જાદુગર એક એવો જવાંમર્દ છે, જે પોતે ઝે૨ પીએ છે અને દર્શકોને હાસ્યનું અમૃત પાય છે. એ પોતે બંદૂકની ગોળીએ વીંધાય છે, લોકોના મનને લીલાવિલાસ પમાડવા ! દેહના કરવતથી કાપીને એ બે ટુકડા કરે છે. પ્રેક્ષકોનાં દુ:ખથી વીંધાયેલા કાળજાને પ્રફુલ્લાવવા ! આવી જાદુવિદ્યાની વેદી પર કેટકેટલા બત્રીસાની ભેટ ચડી છે. એ સત્યઘટનાઓ સાંભળી, ત્યારે રાઈનો પર્વત થઈ ગયો છે. નગણ્ય લાગતી વાત ગણતરીમાં મોટી લાગવા માંડી છે.
રખડુ, દરિદ્ર, મનમોજી યુવક નિષ્ઠુરદુનિયાની આપખુદી સામે માનુષી તાકાતથી ઝઝૂમે છે !
મારા હૃદયની વેદનાની મારા હોઠને ખબર નથી ! ‘હું નાગરિક નથી, મારે નાગરિકતાના પેપર્સની જરૂ૨ નથી, એ અર્થમાં હું કોઈ એક દેશનો દેશભક્ત નથી, પરંતુ હું સમગ્ર માનવતાનો પૂરેપૂરો પ્રેમી છું, હું એક વિશ્વનાગરિક છું.' 1942માં ફાસીવાદ વિરોધી કલાકારોના સંમેલનમાં ચાર્લી ચૅપ્લિનનાં આ કથનોએ વિશ્વભરમાં વિવાદનો પ્રચંડ વંટોળ જગાવ્યો હતો. હકીકત એ પણ છે કે... Continue Reading →
ચોપન વર્ષની અવિરતયાત્રાના પ્રભાવક પ્રેરણામૂર્તિ !
લોકમાનસનો તાગ મેળવીને પત્રકારત્વના વિરલ વટવૃક્ષનું સર્જન કર્યું ! સ્વપ્નદ્રષ્ટા માત્ર સ્વપ્નોને સાકાર કરતા નથી, બલ્કે એ અવનવાં સર્જનો પણ કરે છે. એની પાસે માટીમાંથી માનવ સર્જવાની તાકાત હોય છે, નાનકડી ચિનગારીને મશાલ રૂપે પ્રજ્વલિત કરવાની શક્તિ હોય છે. સામાન્યને અસામાન્યમાં પરિવર્તિત કરવાની જડીબુટ્ટી હોય છે. આ સમયે એવી અપૂર્વ શક્તિનું સ્મરણ કરતાં ‘ગુજરાત સમાચાર’ના... Continue Reading →
બાળપણમાં કૂતરા પકડનારો ડાર્વિન ક્રાંતિસર્જક બની ગયો !
દરેક ટીકાનો જવાબ આપશો, તો એમાં જ તમારી આખી જિંદગી પૂરી થઈ જશે ! ટીકાઓનો વરસાદ એ આજના સમયની વિશેષતા છે. રાજકારણમાં તો પરસ્પરની ટીકાઓ માઝા મૂકી જતી હોય છે. સમાજજીવનની શાંતિને આવી ટીકાઓ સળગાવી મૂકતી હોય છે. સોશિયલ મીડિયા પરની આક્રમક ટીકાઓ પ્રજાના દિમાગને હિંસક બનાવે છે અને ટ્રોલને કારણે તો જાણે ટીકાઓનો મહાસાગર... Continue Reading →
મહાકવિ જયદેવે પ્રાર્થના કરી કે, ‘હે શ્યામસુંદર ! અસલનો તેં સ્વીકાર કર્યો, એમ નકલનો પણ સ્વીકાર કર !’
સાયંકાલના સમયે જગન્નાથપુરીનું મહામંદિર માનવસમૂહથી ભરચક થઈ ગયું હતું. એનાં સુવર્ણરસ્યાં શિખરો પર સંધ્યાચળનાં કિરણો રમતિયાળ ગેલ કરતાં હતાં. હવામાં ઝૂમતી એની પતાકાઓ ચોતરફ દૃષ્ટિગોચર થતી હતી. એવે સમયે અસલી અને નકલી ‘ગીતગોવિંદ' વચ્ચેના ભેદનો ન્યાય થઈ રહ્યો હતો. માનવીય ન્યાય જ્યારે ઇન્સાફ આપી શકતો નહોતો, તેથી આજે ઈશ્વરને ન્યાય માટે આમંત્રવામાં આવ્યો હતો. એક... Continue Reading →
ફેન્ટાસ્ટિક રોહિત શર્મા !
પૂર્વે 2011ના વર્લ્ડ કપ સમયે ક્રિકેટર રોહિત શર્મા ઊંડો આઘાત પામ્યો અને એ આઘાતમાંથી મક્કમ મનોબળ અને નિશ્ચિત ધ્યેય સાથે બહાર આવીને એણે 2024ના ટી-20 વર્લ્ડ કપમાં યશસ્વી વિજય મેળવ્યો. રોહિત શર્માને આઘાતનો અનુભવ તો ત્યારે થયો કે જ્યારે પસંદગીકારોએ એના નામની 2011ના વર્લ્ડ કપના ખેલાડીઓમાંથી બાદબાકી કરી નાખી હતી. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની 2011ની... Continue Reading →
એક જ દે ચિનગારી (મારો અસબાબ-8)
કેવી છદ્મવેશી અને છેતરામણી હોય છે સફળતા ! જીવનસાગરમાં આવતું એક મોજું ક્યારેક ઊંચા આકાશને આંબે છે, તો ક્યારેક એ પછી ઘૂઘવતા સાગરમાં ક્યાંક ખોવાઈ જાય છે. સફળતા અનંત શક્યતા લઈને આવે છે, પણ એની સાથે સ્વપ્નનો અનુબંધ ન સધાય, તો એ સઘળી શક્યતાઓ આથમી જાય છે. 1965ના સમયગાળામાં ગુજરાતી સાહિત્યમાં બાળસાહિત્યની બોલબાલા હતી. ‘રમકડું’,... Continue Reading →
ગંગાથી વોલ્ગા સુધી (મારો અસબાબ-7)
1965નું વર્ષ તે મારું એમ .એ.નું અંતિમ વર્ષ હતું. એ માટે પરીક્ષાની તૈયારીઓ ચાલતી હતી. તો બીજી બાજુ 'ગુજરાત સમાચાર', 'ઝગમગ' અને ‘નવચેતન'માં નિયમિત કૉલમ પ્રગટ થતાં હતાં. એમાં વળી એ સમયગાળામાં ખેલાતી ટેસ્ટમૅચમાં રોજેરોજની સમીક્ષા લખવાનું આવ્યું, આમ ભારે રોમાંચક વર્ષ હતું એ, અને એ વર્ષે લાલબહાદુર શાસ્ત્રીની જીવનગાથાને વર્ણવતું ‘લાલ ગુલાબ' પુસ્તક પ્રગટ... Continue Reading →
અજબ નેતા, ગજબ આદમી (મારો અસબાબ-6)
બાળપણથી જ આઝાદી માટે પ્રાણની આહુતિ આપનારા શહીદોની કથાઓ જ મનમાં ગુંજતી હોય, એમાં વળી પારિવારિક વાતાવરણ અને પુસ્તકોમાંથી વાંચેલી મહાત્મા ગાંધીજીના જીવનની ઘટનાઓ ચિત્તમાં તરવરતી હતી અને એ સમયે 19 વર્ષની ઉંમરે લાલબહાદુર શાસ્ત્રીને મળવાનું બન્યું. એમને જોઈને એમ લાગ્યું કે જો મહાત્મા ગાંધીજી જીવતા હોત તો જરૂ૨ એમના આ અનુયાયીની સાદાઈ, સચ્ચાઈ અને... Continue Reading →
ઉકાળો અને ત્રણ ખાખરા (મારો અસબાબ-5)
ધીમા દબાતા પગલે એ રૂમમાં હું પ્રવેશ્યો. ભાવનગરના એ પરિચિત સ્વજનના ઘેર ભારત વાણિજ્ય અને ઉદ્યોગમંત્રીનો ઉતારો હતો. ઘણા લાંબા સમયથી એ ખંડમાં મંત્રીશ્રી એકલા બેસીને સરકારી ફાઈલોનો અભ્યાસ કરતા અને એના પર પોતાની નોંધ કરે જતા હતા. ઘણો સમય વીતી ગયો હોવાથી મને એમ થયું કે, ‘લાવો, એમને કંઈ નાસ્તાની જરૂ૨ હોય તો પૂછી... Continue Reading →
સાહેબનાય સાહેબ (મારો અસબાબ-4)
એ દિવસે અનુભવેલી નવી તાજગીનું સ્મરણ આજે પણ એટલું જ તરોતાજા છે. એ દિવસે પિતાની આંખમાં આશા હતી, તો માતાની આંખમાં ઉમંગ. દીકરો આજે નિશાળે ભણવા બેસવાનો ! ઘરના વાતાવરણમાં ચોતરફ નવો ઉત્સાહ અને ઉજાસ પ્રવર્તતો હતો. દફતર બરાબર તૈયાર કર્યું. એમાં પાટી અને પેન મૂક્યાં અને પછી માતા-પિતાએ કહ્યું, ‘નિશાળમાં ભણવાની બહુ મજા આવશે.... Continue Reading →
સાગરનાં મોજાં ને ગઢના કાંગરા (મારો અસબાબ-3)
જીવનનો અસબાબ ખોલીએ એટલે તત્કાળ બાળપણનાં સોનેરી સ્વપ્નાં અને સ્મરણો મનના આકાશમાં ઊડાઊડ કરવા લાગે! બાળપણની નિર્મળ, નિર્દોષ આંખોમાં તીવ્ર જિજ્ઞાસાનું ઘેરું આંજણ આંજીને ચોપાસના જગતને જોયું, ત્યારે કેવો રોમહર્ષક અનુભવ થયો હતો ! આજે સાવ સામાન્ય કે નગણ્ય લાગતી કેટલીય વસ્તુઓ એ સમયે કેવી ભવ્ય અને આકર્ષક લાગતી હતી ! દોસ્તોની સાથે નદીમાં ધુબાકા... Continue Reading →
અંતિમ વેળાએ અમૃત (મારો અસબાબ-2)
1969ની ચોવીસમી ડિસેમ્બરની સાંજની પ્રત્યેક ક્ષણ આજેય ચિત્તમાં એટલી જ તાદૃશ છે. આજે પણ સાંજે ઘેર બેઠો હોઉં, ત્યારે અસ્તાચળની ઉદાસી મન પર ગમગીનીની છાયા લીંપી દે છે. કેટલીક ઘટનાને કાળ ભૂંસી શકતો નથી કે સમય ભુલાવી શકતો નથી. ચિત્ત પર એ એવી અંકિત થઈ ગઈ હોય છે કે એની નાનીશી સ્મરણ-રેખાનું સ્મરણ થતાં આપોઆપ... Continue Reading →
જીવનતીર્થની પરિક્રમા (મારો અસબાબ-1)
જેઠ વદ ત્રીજ, વિ.સં. ૨૦૭૦, ૧૫મી જૂન, ૨૦૧૪ અને રવિવારના દિવસે પાલનપુરના ગઠામણ દરવાજા પાસે આવેલા શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં યોજાયેલો પરિસંવાદ પૂર્ણ કરીને અમે સહુ મિત્રો પાલનપુરથી લક્ઝરીમાં બેસીને અમદાવાદ પાછા આવી રહ્યા હતા. મારી સાથેની બેઠક પર સાહિત્યકાર, નાટ્યલેખક અને ‘પ્રબુદ્ધજીવન' સામયિકનું તંત્રીપદ સંભાળનાર ડૉ. ધનવંત શાહ બેઠા હતા અને પછી એમના વક્તવ્ય... Continue Reading →
ઈંટ અને ઇમારત
ઈંટ અને ઇમારત ઈ.સ. ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે ‘જયભિખ્ખુ'નું અવસાન થયું ત્યારે કુમારપાળ ૨૭ વર્ષના હતા. પરિવારની સ્થિતિ સામાન્ય હતી. પિતાના ઉદાર, સ્વમાની અને ખમીરવંતા સ્વભાવને કારણે એમના અવસાન સમયે ઘરમાં કોઈ ઝાઝી મૂડી નહોતી. માત્ર પુસ્તકોમાંથી કેટલીક ચલણી નોટો મળી, તેની કુલ રકમ ૩૫૦ રૂપિયા થઈ. આથી વિનોદમાં એમ પણ કહેવાતું કે ત્રણસો પુસ્તકના લેખક... Continue Reading →
મહારાષ્ટ્ર રાજ્યનું લેખા ગામ
મહારાષ્ટ્ર રાજ્યના ગઢચિરોલી જિલ્લાના મેંઢા (લેખા) ગામમાં ૩૭૦ માણસોની વસ્તી હતી. અહીં બલ્લારપુરમાં કાગળ બનાવતી મોટી મિલને ચાલીસ વર્ષના પટ્ટે ગઢચિરોલીના જંગલમાંથી વાંસ કાપવાનો ખૂબ નજીવી કિંમતે પરવાનો મળ્યો. જો જંગલમાંથી મોટા પાયે કાચા વાંસ કાપીને લઈ જાય તો ગામલોકોને ઘર કે વાડને માટે પણ વાંસ પણ મળે નહીં તેવી સ્થિતિ હતી. પહેલાં ગ્રામવાસીઓને વાંસ... Continue Reading →