જૈન ધર્મનો ઇતિહાસ અનેક સાધ્વીજી મહારાજની આત્માની આરાધનાથી ઊજળો છે, પણ આપણે એ સાધ્વીજીની જીવનકથાથી અજ્ઞાત હોવાને કારણે એ મહાન સાધ્વીઓનાં ચરિત્રોને ભાગ્યે જ સમાજ જાણે છે, ત્યારે આજે ભગવાન મહાવીરના સમયની બે સાધ્વીઓ – જેમાં એક છે એમનાં માતા એવાં દેવાનંદા અને બીજાં છે ભગવાન મહાવીરનાં પ્રથમ શિષ્યા અને શ્રમણી સંઘનાં પ્રવર્તિની સાધ્વી ચંદનબાળા.... Continue Reading →
માતા : એક જન્મ આપનારી અને બીજી ધર્મ આપનારી !
કારતક સુદી પૂર્ણિમા એટલે દેવદિવાળી આવી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને એ મહાન પુત્રને જન્મ આપનારી મહાન માતા સાધ્વી પાહિણીનું સ્મરણ થાય. જૈન ઇતિહાસમાં પાહિણીએ શાસનને પોતાનો પુત્ર આપ્યો તો યાકિની મહત્તરાએ વિદ્વાન હરિભદ્રસૂરિને માતાની માફક માર્ગદર્શન આપ્યું. જેથી 1,444 ગ્રંથોની રચના કરનાર આચાર્ય હરિભદ્રસૂરિ પોતાને યાકિની મહત્તરાના પુત્ર તરીકે ઓળખાવે... Continue Reading →
અમેરિકાની ધરતી પર વિરલ તપસાધના કરનારી પ્રથમ શ્રાવિકા
જૈન ધર્મમાં તપશ્ચર્યાનું આગવું મહત્ત્વ છે. ભગવાન મહાવીરસ્વામીએ એમના સાડાબાર વર્ષના સાધનાકાળમાં મુખ્યત્વે ઊભા ઊભા કાયોત્સર્ગ મુદ્રામાં 4,166 દિવસ ઉપવાસ કર્યા હતા. તપની આરાધના દ્વારા કર્મક્ષય થાય છે અને એટલે જ મોક્ષમાર્ગમાં તપની આરાધનાને સર્વોપરી ગણવામાં આવે છે. કરોડો ભવનાં સંચિત કર્મ તપશ્ચર્યાથી નષ્ટ થાય છે, એનાથી આત્માની શુદ્ધિ થાય છે અને ઇચ્છાનિરોધથી મોક્ષની પ્રાપ્તિ... Continue Reading →
ૐની નાદસાધના એટલે પરમપદની પ્રાપ્તિનો રાજમાર્ગ !
આપણી આ સત્સંગસભામાં ઉપનિષદ્નાં દ્રષ્ટા ઋષિઓએ આપેલા આત્મજ્ઞાનની ઓળખ પામવાનો આપણે સહુ પ્રયાસ કરીએ છીએ, ત્યારે એક પ્રશ્ન એ આવે કે જીવનમાં આવતા સુખ અને દુઃખ એને વિશે આપણા મહાન ઋષિઓએ કેવું દર્શન આપ્યું છે ? હકીકત એ છે કે ‘શ્વેતાશ્વરોપનિષદ્'નાં છઠ્ઠા અધ્યાયના વીસમા મંત્રમાં દુ:ખના નાશનો અમોઘ ઉપાય દર્શાવ્યો છે. માનવીના જીવનમાં સુખ અને... Continue Reading →
ઉપનિષદ્ પાસેથી પામીએ મૃત્યુંજય વિધા !
આજે આપણી સત્સંગ સભામાં પધારે છે ઉપનિષદૂના દ્રષ્ટા એવા મહાન ઋષિઓ. ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે આત્મજ્ઞાન અને એથી જ આપણા મહાન ઉપનિષદો મને(કુમારપાળ દેસાઈ) અને સહુને કહે છે કે, ‘માનવી પાસે એક આત્મા છે અને આત્મજ્ઞાનથી જ મનુષ્ય સર્વજ્ઞ થાય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી એણે કંઈ કરવાનું રહેતું નથી.' આથી વ્યક્તિ એક જ આત્માને... Continue Reading →
આત્મસુખનું અજ્ઞાન એ જ છે સર્વ દુઃખોનું મૂળ કારણ !
અધ્યાત્મની ગહનતાને ઉજાગર કરે છે શ્રી અષ્ટાવક્રગીતા. શ્રી અષ્ટાવક્ર મુનિનાં ગ્રંથોમાંથી આત્મજ્ઞાન-પ્રાપ્તિનો ઉત્તમ માર્ગ પ્રાપ્ત થાય છે. જેમ કઠોપનિષદથી આત્મજ્ઞાનનું અજવાળું પથરાય છે, એવું જ એક અજવાળું શ્રી અષ્ટાવક્રગીતા સમયે અનુભવાય છે અને અહીં આપણે યોજેલી અનોખી સત્સંગ સભામાં શ્રી અષ્ટાવક્ર મુનિના વિચારો માનવજીવનને કઈ રીતે ઉપકારક છે અને કેવા આત્મજ્ઞાન પ્રકાશક છે એ જોઈ... Continue Reading →
બ્રહ્મજ્ઞાન તો તમારા ભીતરમાં વસે છે !
આજની આપણી અનોખી સત્સંગ સભામાં પધાર્યા છે શ્રી અષ્ટાવક્ર મુનિ. આ એક નૂતન પ્રકારની સત્સંગ સભા છે. કોઈ મહાત્મા, સંત, સાધુ કે કોઈ ઉપદેશક ધાર્મિક પ્રવચન આપે, ત્યારે સત્સંગનું સર્જન થાય છે, પણ અહીં આપણે એક વિશિષ્ટ પ્રકારના સત્સંગનો પ્રારંભ કર્યો છે. જેમાં આપણા દેશના મહાન ઋષિઓ, મુનિઓ, યોગી, સંત કે મુમુક્ષુએ આપેલા ભૌતિક જીવન... Continue Reading →
દોષખોજ અને નિંદાખોરી એ એમનો એકમાત્ર ધર્મ હોય છે !
જે પ્રજા રાષ્ટ્રવીરને ભૂલી જાય, તે આંતર કલહમાં સબડીને અધઃપાત પામે છે ! ગાફેલ જમાનો ઘણી જલદીથી પોતાના શ્રેષ્ઠ માણસને વીસરી જાય છે અને સમય જતાં મિથ્યાભિમાની માણસો લોકશ્રદ્ધાના પ્રાચીન મંદિરનો કબજો કરી જૂની પ્રતિમાઓને ઉખાડીને ફેંકી દે છે. એક ફેંકાઈ ગયેલી પ્રતિમાની વાત છે - ઈ. સ. ૧૮૮૫ની. જંગલખાતાનો એક ઉપરી અંગ્રેજ અમલદાર જંગલના... Continue Reading →
દેશમાં ખળભળાટ મચાવનાર કિસ્સો ખડખડાટ હાસ્યમાં ફેરવાઈ ગયો
ઇતિહાસના પાને નોંધાયેલી અનોખી ઘટના દેશની એકેએક વ્યક્તિની નજ૨ ચોથી જૂન પર મંડાયેલી છે અને સહુ વિચારે છે કે એ દિવસે ચૂંટણીનાં પરિણામો કેવા કેવા રંગ ખીલવશે ? અધ્ધર જીવે, સરવા કાને અને આતુર આંખે કેવો ઇતિહાસ સર્જાશે એનો સહુ કોઈ વિચાર કરે છે, ત્યારે ઇતિહાસની એક અનોખી ઘટનાનું સ્મરણ થાય છે. ઈ. સ. 1877ના... Continue Reading →
ગામથી માંડીને ગાઝા સુધીની દુર્ઘટનાથી માનવતાનું રૂંવાડું ય ફરકતું નથી !
દસ વર્ષના બાળક જેવો બદનસીબ આ જગતમાં બીજો કોઈ નથી ! દુનિયા આજે એક ગામડું(ગ્લોબલ વિલેજ) બની ગઈ છે. છેલ્લાં ઘણાં વર્ષોથી વિચારકો આવી વાતો કરી રહ્યા છે. દેશો એટલા બધા પરસ્પર નજીક આવી ચૂક્યા છે કે હવેનું વિશ્વ એ એક વિલેજ જેવું બની ગયું છે. એ હકિકત સાચી કે ટૅક્નૉલૉજીના માધ્યમથી વિશ્વભરનાં દેશો એકબીજા... Continue Reading →
એક પક્ષની ઉન્નતિ બીજા પક્ષની ઈર્ષાનું કારણ બને છે !
ભૂલશો નહીં કે ગણતંત્ર એ આમ્રવૃક્ષ છે. હજારો બાવળ વચ્ચે એ ઊગે છે. ગઈકાલનો ઇતિહાસ આવતીકાલનો સંદેશ બને છે. આજે આપણા લોકશાહી દેશમાં ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે ભૂતકાળના એ ગણતંત્રનું સ્મરણ થાય છે. એનો ઇતિહાસ આજે રસપ્રદ છે અને આવતીકાલને માટે એ માર્ગદર્શક છે. હકિકતમાં ગણતંત્ર એ આમ્રવૃક્ષ છે. હજારો બાવળ વચ્ચે એ... Continue Reading →
બીજાને દૃષ્ટિ આપવાથી અંતઃચક્ષુ ઊઘડે છે અને દિવ્યદૃષ્ટિ મળે છે !
તમે મારા ખોટા રૂપિયાને સવા રૂપિયા સાચો કર્યો ! માનવતાના મસીહાની આ મર્મભેદક કથા છે. જેણે બીજાની વેદના પોતાના હૃદયમાં સામે ચાલીને સ્વીકારી લીધી છે. અન્યની પારાવાર પીડાનો સ્વયં સાક્ષાત્ અનુભવ કર્યો છે, પછી એ 2001ની 26મી જાન્યુઆરીએ સવારે 8.44 મિનિટે થયેલા કચ્છના ધરતીકંપની હોય કે પછી એ વેદના કોઈ નારીના ગર્ભાશયની પીડા હોય. આમાં... Continue Reading →
મુખ્યપ્રધાન, નાણાપ્રધાન કે રાજ્યપાલ પદને ઠુકરાવી દેનાર વિરલ માનવી !
સત્તા એમની દાસ હતી, સેવાના એ પોતે દાસ હતા ! યજ્ઞનો દેવતા ઓલવાઈ ગયો છે. બુઝાયેલા ઈંધણનો ભંગાર કાળા ધુમાડા કાઢતો પડ્યો છે. અંધકાર પોતાનું સામ્રાજ્ય પ્રસરાવવાનો હોય, ત્યારે ચહેરા પર પોતાનો આસમાની બુરખો નાખે છે. અને કોઈ પણ દેશની પીછેહઠ થવાની હોય, ત્યારે તે દેશના રાજકારણી પુરુષોના મન પર બેજવાબદારી અને અનૈતિકતાનો બુરખો નાખે... Continue Reading →
તમારા માર્ગનો કાંટો નહીં, પણ તમારી ઊજળી કીર્તિનું ગુલાબ બનીશ !
અગાધ સ્નેહ કરતાં સર્જકનો સ્વધર્મ ચડિયાતો છે ! નિર્વિકારી તો એકમાત્ર પરમાત્મા છે. હશે કોઈ એવા પુરુષ કે જે આટલા બધા આકર્ષક અને લોભામણા સંસારમાં, જેને યૌવન આવ્યું હોય ને વિકાર જાણ્યા ન હોય !' કથાની રચના કરતો રચના કથાકારે અંતરની આહથી જાણે કાવ્ય સર્જ્યું, ને બધું મૂકીને બહાર લટાર મારવા નીકળ્યો. એને વિચારનો તંતુ... Continue Reading →
મેં સ્વયં મારી જાતને સતત શ્રેષ્ઠ બનવા પ્રેરણા આપી છે !
માનવતાની ચીસ અને ફૂટબૉલની ‘કિક' ! અનરાધાર ધનવર્ષા થતી હોય, એવે સમયે કોઈને માત્ર ધનસંચયનો વિચાર આવે છે, જે પોતાની સંપત્તિના ચરુ પર સાપ થઈને ફેણ માંડીને એને જાળવવા માટે ઉજાગરા કરે. કોઈ પોતાની સંપત્તિ અંગત મોજ-વિલાસમાં પ્રયોજે છે અને કોઈ તો ભવ્ય સમારંભો કે લગ્નનાં આયોજનો કરીને પોતાની સંપત્તિનું વરવું પ્રદર્શન કરતા હોય છે.... Continue Reading →
ભૂલા પડેલા યાત્રાળુઓને ઘોડેસવાર સહાય કરે છે !
શ્રી શંખેશ્વર તીર્થના સંદર્ભમાં આપોઆપ ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી મહારાજસાહેબનું સ્મરણ થાય. એમના જીવનમાં ધર્મશક્તિનું પ્રાગટ્ય જોવા મળે છે. સ્થૂળ દૃષ્ટિ એને ચમત્કાર તરીકે ખપાવતી હોય છે. શ્રી ઉદયરત્નજી મહારાજની પ્રભાવક શક્તિ વિશે ઘણી કથાઓ અને કિંવદંતીઓ મળે છે. આશરે વિ. સં. ૧૭૫૮માં એમની પ્રેરણાથી ખેડાથી શ્રી શંખેશ્વર તીર્થનો છ'રી પાલિત સંઘ નીકળ્યો હતો. એ સમયે... Continue Reading →
ચાલો, હવે મૂળમાં ઘા કરીએ !
પરમનો સ્પર્શ પામવા ઇચ્છતા સાધકના ચિત્તમાં હવે પ્રશ્ન જાગે કે પહેલાં સિદ્ધિનું લક્ષ રાખવું અને પછી સાધના કરવી કે પહેલાં સાધના કરવી અને જે કંઈ મળે તે સ્વીકારવું ? પહેલાં પ્રાર્થના અને પછી પ્રાપ્તિ કે પહેલાં પ્રાપ્તિનું આયોજન અને પછી એ સિદ્ધ ક૨વા માટેની પ્રાર્થના ? સાધના હોય કે પ્રાર્થના, પરંતુ એનું પહેલું પગથિયું એ... Continue Reading →
જે વેદાભ્યાસથી પામ્યો નહીં, તે બાણશય્યાની પીડાએ સમજાવ્યું !
દુઃખનાં રોદણાં રડતો માનવી જેને પરમ સુખ માને છે, તે વિશે કોઈ ગંભીર વિચાર કરે છે ખરો ? ક્ષણભંગુર બાબતને પરમ શાશ્વત સુખ માનીએ છીએ અને પછી એ ચાલ્યું જતાં પારાવાર દુઃખ અનુભવીએ છીએ, તે કેવું ? યુવાની સદાકાળ રહેવાની છે એમ માનીએ છીએ અને કુદરતના ક્રમ પ્રમાણે પછી વૃદ્ધત્વ આવે અને માણસ એનાં દુઃખ-દર્દની... Continue Reading →
દુઃખ ભલે અપ્રિય હોય, પણ ઉદ્ધારક છે !
સુખનો ચહેરો બહાર છે અને દુઃખનો ચહેરો ભીતર છે. માણસ પોતાના સુખને કેવી મોહભરી ચકળવકળ આંખે જોતો હોય છે અને દુઃખ પ્રત્યે કેવો સાવ આંખો મીંચી દે છે ! ઊગતા સૂરજ તરફ પ્રત્યેક માનવી ઉષ્માપૂર્ણ દૃષ્ટિપાત્ કરતો હોય છે, જ્યારે ડૂબતા સૂરજ પર એ અલપઝલપ નજર નાખીને મુખ ફેરવી લેતો હોય છે. કારણ કે વ્યક્તિને... Continue Reading →
પાપા, ઓડેન, આમિદા, ન્યુમ, જેડ એમ્પરર ! ઓળખો છો આ દેવોના દેવને ?
દેવોના દેવ છે મહાદેવ.' તેઓ રુદ્ર રૂપે સૃષ્ટિસંહારનું મૂર્તિમંત સ્વરૂપ મનાય છે. હિંદુ ધર્મની ત્રિદેવની કલ્પનામાં બ્રહ્માને સૃષ્ટિના સર્જક, વિષ્ણુને સૃષ્ટિના પાલક અને શિવ કે રુદ્રને સૃષ્ટિના સંહારક માનવામાં આવ્યા છે. જોકે શૈવ સંપ્રદાય અનુસાર શિવ પરમ તત્ત્વ છે અને એમનાં કાર્યોમાં સંહાર ઉપરાંત સૃષ્ટિ અને સ્થિતિ(પાલન)નાં કાર્યોનો પણ સમાવેશ થાય છે. આમાં બ્રહ્માને સૃષ્ટિસર્જનનું... Continue Reading →