દિશાવિહીન અરાજકતા તરફ દોડી રહેલું વિશ્વ !

આપણું ભાવિ અતિ ભવ્ય છે કે ભયાવહ ? કોરોનાની વિશ્વવ્યાપી મહામારીએ આખા જગતને થંભાવી દીધું હતું. એ જ રીતે તાજેતરમાં માઇક્રોસૉફ્ટને કારણે અડધી દુનિયાની કાર્યશક્તિ અપંગ બની ગઈ હતી. માનવજાતિ એની સામે સર્જાતા પ્રચંડ પડકારોનો સામનો કરે છે, પરંતુ ક્યારેક એનો સામનો એ સ્વયંને માટે સમસ્યારૂપ બની જાય છે. કોરોનાની ભીતરમાં કે વર્તમાન સમયમાં માઇક્રોસૉફ્ટનું... Continue Reading →

રામ થઈને રામની પૂજા કરો ! વિશ્વસમસ્તના હૃદયમાં ધબકે છે રામ !

રામકથાનાં કેટકેટલાં રૂપ ! મૌખિક રૂપે ગવાતી ગાથાઓ રૂપે મળે, એ મહાકવિ વાલ્મીકિએ રચેલા મહાકાવ્ય રૂપે મળે, એ સાહિત્ય ગ્રંથોમાં અને શિલ્પ- સ્થાપત્યમાં મળે, ચિત્રો અને સિક્કાઓમાં મળે. રામકથાની વ્યાપકતા એ રીતે અનોખી છે કે એમાંનાં માનવીય સ્પંદનો સહુ કોઈને સ્પર્શતાં રહ્યાં છે. એની ઘટનાઓ જાણે આપણા પરિવારની ઘટનાઓ હોય એવું સહુને લાગ્યું છે. એમાં... Continue Reading →

શત્રુઓના કપાયેલા મસ્તકનો મિનાર રચનાર હવે ફૂલ ચૂંટતાં અચકાતો હતો !

ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું, ‘તમે કત્લેઆમ કરનારા મિરજાખાન નથી, પણ મહાન કવિ રહીમ છો !' ‘જય જય ગોસ્વામી, આપને પાય લાગુ, આપના કદમ ચૂમું.' અવાજમાં ઉર્દૂનો સાહજિક લહેકો હતો અને ભાવ ભારતીયતાથી ભીંજાયેલા હતા. ‘આવો ભાઈ ! કયા કામે અહીં રામદરબારમાં આવ્યા છો ?’ ગોસ્વામી તુલસીદાસજીએ પૂછ્યું. ‘ગોસ્વામીજી ! તલવારની છાયામાં મોટો થયો છું. એના ભરોસે... Continue Reading →

મારા શરીર પર દયા કરશો, તો મારા યશની કતલ કરશો !

જીવનને જંગ ગણે ને મરણને રંગ ગણે તે જવાંમર્દ ! જાદુગર એક એવો જવાંમર્દ છે, જે પોતે ઝે૨ પીએ છે અને દર્શકોને હાસ્યનું અમૃત પાય છે. એ પોતે બંદૂકની ગોળીએ વીંધાય છે, લોકોના મનને લીલાવિલાસ પમાડવા ! દેહના કરવતથી કાપીને એ બે ટુકડા કરે છે. પ્રેક્ષકોનાં દુ:ખથી વીંધાયેલા કાળજાને પ્રફુલ્લાવવા ! આવી જાદુવિદ્યાની વેદી પર કેટકેટલા બત્રીસાની ભેટ ચડી છે. એ સત્યઘટનાઓ સાંભળી, ત્યારે રાઈનો પર્વત થઈ ગયો છે. નગણ્ય લાગતી વાત ગણતરીમાં મોટી લાગવા માંડી છે.

રખડુ, દરિદ્ર, મનમોજી યુવક નિષ્ઠુરદુનિયાની આપખુદી સામે માનુષી તાકાતથી ઝઝૂમે છે !

મારા હૃદયની વેદનાની મારા હોઠને ખબર નથી ! ‘હું નાગરિક નથી, મારે નાગરિકતાના પેપર્સની જરૂ૨ નથી, એ અર્થમાં હું કોઈ એક દેશનો દેશભક્ત નથી, પરંતુ હું સમગ્ર માનવતાનો પૂરેપૂરો પ્રેમી છું, હું એક વિશ્વનાગરિક છું.' 1942માં ફાસીવાદ વિરોધી કલાકારોના સંમેલનમાં ચાર્લી ચૅપ્લિનનાં આ કથનોએ વિશ્વભરમાં વિવાદનો પ્રચંડ વંટોળ જગાવ્યો હતો. હકીકત એ પણ છે કે... Continue Reading →

ચોપન વર્ષની અવિરતયાત્રાના પ્રભાવક પ્રેરણામૂર્તિ !

લોકમાનસનો તાગ મેળવીને પત્રકારત્વના વિરલ વટવૃક્ષનું સર્જન કર્યું ! સ્વપ્નદ્રષ્ટા માત્ર સ્વપ્નોને સાકાર કરતા નથી, બલ્કે એ અવનવાં સર્જનો પણ કરે છે. એની પાસે માટીમાંથી માનવ સર્જવાની તાકાત હોય છે, નાનકડી ચિનગારીને મશાલ રૂપે પ્રજ્વલિત કરવાની શક્તિ હોય છે. સામાન્યને અસામાન્યમાં પરિવર્તિત કરવાની જડીબુટ્ટી હોય છે. આ સમયે એવી અપૂર્વ શક્તિનું સ્મરણ કરતાં ‘ગુજરાત સમાચાર’ના... Continue Reading →

બાળપણમાં કૂતરા પકડનારો ડાર્વિન ક્રાંતિસર્જક બની ગયો !

દરેક ટીકાનો જવાબ આપશો, તો એમાં જ તમારી આખી જિંદગી પૂરી થઈ જશે ! ટીકાઓનો વરસાદ એ આજના સમયની વિશેષતા છે. રાજકારણમાં તો પરસ્પરની ટીકાઓ માઝા મૂકી જતી હોય છે. સમાજજીવનની શાંતિને આવી ટીકાઓ સળગાવી મૂકતી હોય છે. સોશિયલ મીડિયા પરની આક્રમક ટીકાઓ પ્રજાના દિમાગને હિંસક બનાવે છે અને ટ્રોલને કારણે તો જાણે ટીકાઓનો મહાસાગર... Continue Reading →

મહાકવિ જયદેવે પ્રાર્થના કરી કે, ‘હે શ્યામસુંદર ! અસલનો તેં સ્વીકાર કર્યો, એમ નકલનો પણ સ્વીકાર કર !’

સાયંકાલના સમયે જગન્નાથપુરીનું મહામંદિર માનવસમૂહથી ભરચક થઈ ગયું હતું. એનાં સુવર્ણરસ્યાં શિખરો પર સંધ્યાચળનાં કિરણો રમતિયાળ ગેલ કરતાં હતાં. હવામાં ઝૂમતી એની પતાકાઓ ચોતરફ દૃષ્ટિગોચર થતી હતી. એવે સમયે અસલી અને નકલી ‘ગીતગોવિંદ' વચ્ચેના ભેદનો ન્યાય થઈ રહ્યો હતો. માનવીય ન્યાય જ્યારે ઇન્સાફ આપી શકતો નહોતો, તેથી આજે ઈશ્વરને ન્યાય માટે આમંત્રવામાં આવ્યો હતો. એક... Continue Reading →

ઈંટ અને ઇમારત

ઈંટ અને ઇમારત ઈ.સ. ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે ‘જયભિખ્ખુ'નું અવસાન થયું ત્યારે કુમારપાળ ૨૭ વર્ષના હતા. પરિવારની સ્થિતિ સામાન્ય હતી. પિતાના ઉદાર, સ્વમાની અને ખમીરવંતા સ્વભાવને કારણે એમના અવસાન સમયે ઘરમાં કોઈ ઝાઝી મૂડી નહોતી. માત્ર પુસ્તકોમાંથી કેટલીક ચલણી નોટો મળી, તેની કુલ રકમ ૩૫૦ રૂપિયા થઈ. આથી વિનોદમાં એમ પણ કહેવાતું કે ત્રણસો પુસ્તકના લેખક... Continue Reading →

મહારાષ્ટ્ર રાજ્યનું લેખા ગામ

મહારાષ્ટ્ર રાજ્યના ગઢચિરોલી જિલ્લાના મેંઢા (લેખા) ગામમાં ૩૭૦ માણસોની વસ્તી હતી. અહીં બલ્લારપુરમાં કાગળ બનાવતી મોટી મિલને ચાલીસ વર્ષના પટ્ટે ગઢચિરોલીના જંગલમાંથી વાંસ કાપવાનો ખૂબ નજીવી કિંમતે પરવાનો મળ્યો. જો જંગલમાંથી મોટા પાયે કાચા વાંસ કાપીને લઈ જાય તો ગામલોકોને ઘર કે વાડને માટે પણ વાંસ પણ મળે નહીં તેવી સ્થિતિ હતી. પહેલાં ગ્રામવાસીઓને વાંસ... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑