મુખ્યપ્રધાન, નાણાપ્રધાન કે રાજ્યપાલ પદને ઠુકરાવી દેનાર વિરલ માનવી !

સત્તા એમની દાસ હતી, સેવાના એ પોતે દાસ હતા ! યજ્ઞનો દેવતા ઓલવાઈ ગયો છે. બુઝાયેલા ઈંધણનો ભંગાર કાળા ધુમાડા કાઢતો પડ્યો છે. અંધકાર પોતાનું સામ્રાજ્ય પ્રસરાવવાનો હોય, ત્યારે ચહેરા પર પોતાનો આસમાની બુરખો નાખે છે. અને કોઈ પણ દેશની પીછેહઠ થવાની હોય, ત્યારે તે દેશના રાજકારણી પુરુષોના મન પર બેજવાબદારી અને અનૈતિકતાનો બુરખો નાખે... Continue Reading →

તમારા માર્ગનો કાંટો નહીં, પણ તમારી ઊજળી કીર્તિનું ગુલાબ બનીશ !

અગાધ સ્નેહ કરતાં સર્જકનો સ્વધર્મ ચડિયાતો છે ! નિર્વિકારી તો એકમાત્ર પરમાત્મા છે. હશે કોઈ એવા પુરુષ કે જે આટલા બધા આકર્ષક અને લોભામણા સંસારમાં, જેને યૌવન આવ્યું હોય ને વિકાર જાણ્યા ન હોય !' કથાની રચના કરતો રચના કથાકારે અંતરની આહથી જાણે કાવ્ય સર્જ્યું, ને બધું મૂકીને બહાર લટાર મારવા નીકળ્યો. એને વિચારનો તંતુ... Continue Reading →

મેં સ્વયં મારી જાતને સતત શ્રેષ્ઠ બનવા પ્રેરણા આપી છે !

માનવતાની ચીસ અને ફૂટબૉલની ‘કિક' ! અનરાધાર ધનવર્ષા થતી હોય, એવે સમયે કોઈને માત્ર ધનસંચયનો વિચાર આવે છે, જે પોતાની સંપત્તિના ચરુ પર સાપ થઈને ફેણ માંડીને એને જાળવવા માટે ઉજાગરા કરે. કોઈ પોતાની સંપત્તિ અંગત મોજ-વિલાસમાં પ્રયોજે છે અને કોઈ તો ભવ્ય સમારંભો કે લગ્નનાં આયોજનો કરીને પોતાની સંપત્તિનું વરવું પ્રદર્શન કરતા હોય છે.... Continue Reading →

દેજો દરિયામાં દોટ ! રાખણહારો રામ છે !

પર્વના પવિત્ર દિવસો તો અભયદાનનો અનુપમ અવસર ગણાય ! સાડાત્રણસો વર્ષ પહેલાંનું એક સવાર ઊગતું હતું. ખંભાત બંદરના ડક્કા ઉપર ઉષાનાં સુંદર અજવાળાં હમણાં જ પથરાયાં હતાં. ક્ષિતિજ સુધી પથરાયેલો રત્નાકર પોતાની ગોદમાં નૌકાઓને રમાડી રહ્યો હતો, પણ એ નૌકાનારીઓ કંઈક રિસાયેલી હતી. દિવસોથી અંતઃપુરમાં પૂરી રાખેલી મદભર માનુનીની જેમ, કેટલાય વખતથી લંગર નાખીને બંધનમાં... Continue Reading →

ભારતની આઝાદીનો ઉન્નત ધ્વજ ફરકાવો !

ચાલ્યા જાઓ ! તમને મા જગદંબાની આણ છે ! એ આખરી સલામ સદાને માટે આખરી જ રહી ! સાંજનો સૂરજ લાલપીળો થતો હતો. બંગાળાનાં ઊંચાં ઊંચાં વાંસનાં જંગલો અને મગરમચ્છોથી ભરેલી નદીઓ વીંધતો એક અવાજ આવી રહ્યો હતો. ચોતરફ પથરાયેલી ગીચ ઝાડી અને નાની નાની ટેકરીઓએ એ અવાજનો પડઘો પાડી વનની ભયંકરતામાં વધારો કર્યો. જોયું... Continue Reading →

પૃથ્વીને દેવભૂમિ બનાવવા માટે નવું નરક સર્જવાની જરૂર નથી

અતિ મહત્ત્વાકાંક્ષા ક્યારેક માનવતાની ઘાતક બને છે ! દેવાનુપ્રિય પ્રિયદર્શી સમ્રાટ અશોકને, કલિંગના અભૂતપૂર્વ વિજય પછી, એક મહાન આકાંક્ષા જન્મી : આ સૃષ્ટિને દેવભૂમિ જેવી બનાવું; પૃથ્વીપટ પરથી પાપને સમૂલ ઉખેડી નાખું; અધર્મનો સર્વથા સંહાર કરું ને નાસ્તિકતાનું નિકંદન કાઢી નાખું ! પણ આ સંસારને સુધારવા માટે પ્રેમ કરતાં ભય વધુ જરૂરી છે. મંત્રીરાજે કહ્યું... Continue Reading →

જગત પુનઃસ્મરણ કરે છે સરમુખત્યારની એડી હેઠળ કચડાયેલા પ્રેમના કોમળ પુષ્પનું !

જમાનો જેમ રામને પૂજે છે, પણ એમને પૂજવા સાથે રાવણને યાદ કરે છે. જગત જેમ મહાત્મા ગાંધીજીને યાદ કરે છે, તે રીતે સરમુખત્યાર હિટલરને પણ વારંવાર યાદ કરે છે. યુરોપમાં તો આજે સૌથી વધુ પુસ્તકો હિટલર વિશે બહાર પડે છે અને એને કારણે એના જીવનની ઘણી ઘટનાઓનું દરેક લેખક પોતાની રીતે અર્થઘટન કરે છે. તાજેતરમાં... Continue Reading →

મારા શરીર પર દયા કરશો, તો મારા યશની કતલ કરશો !

જીવનને જંગ ગણે ને મરણને રંગ ગણે તે જવાંમર્દ ! જાદુગર એક એવો જવાંમર્દ છે, જે પોતે ઝે૨ પીએ છે અને દર્શકોને હાસ્યનું અમૃત પાય છે. એ પોતે બંદૂકની ગોળીએ વીંધાય છે, લોકોના મનને લીલાવિલાસ પમાડવા ! દેહના કરવતથી કાપીને એ બે ટુકડા કરે છે. પ્રેક્ષકોનાં દુ:ખથી વીંધાયેલા કાળજાને પ્રફુલ્લાવવા ! આવી જાદુવિદ્યાની વેદી પર કેટકેટલા બત્રીસાની ભેટ ચડી છે. એ સત્યઘટનાઓ સાંભળી, ત્યારે રાઈનો પર્વત થઈ ગયો છે. નગણ્ય લાગતી વાત ગણતરીમાં મોટી લાગવા માંડી છે.

રખડુ, દરિદ્ર, મનમોજી યુવક નિષ્ઠુરદુનિયાની આપખુદી સામે માનુષી તાકાતથી ઝઝૂમે છે !

મારા હૃદયની વેદનાની મારા હોઠને ખબર નથી ! ‘હું નાગરિક નથી, મારે નાગરિકતાના પેપર્સની જરૂ૨ નથી, એ અર્થમાં હું કોઈ એક દેશનો દેશભક્ત નથી, પરંતુ હું સમગ્ર માનવતાનો પૂરેપૂરો પ્રેમી છું, હું એક વિશ્વનાગરિક છું.' 1942માં ફાસીવાદ વિરોધી કલાકારોના સંમેલનમાં ચાર્લી ચૅપ્લિનનાં આ કથનોએ વિશ્વભરમાં વિવાદનો પ્રચંડ વંટોળ જગાવ્યો હતો. હકીકત એ પણ છે કે... Continue Reading →

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑